Team Chabuk-Gujarat Desk: અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ જઈ રહ્યા છે. ત્યારે અયોધ્યામાં એક ગુજરાતીનું રામલલ્લાના દર્શન બાદ હાર્ટ એટેકના કારણે મોત થયું છે. હજુ એક દિવસ પહેલા જ આસ્થા ટ્રેનમાં અયોધ્યા જતા વડોદરાના રામભક્તનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ હતું. ત્યારે વધુ એક ગુજરાતીને રામ મંદિરમાં દર્શન કર્યા બાદ હાર્ટ એટેક આવ્યો છે અને તેઓ ત્યા જ ઢળી પડ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના નોખા ગામના રામ ભક્ત ગોરધનભાઈ ઠાકોર અયોધ્યા પ્રભુ શ્રીરામના દર્શન કરવા માટે ગયા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ ગોરધનભાઈ ઠાકોર પરત આવી રહ્યા હતા તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ત્યાં ઢળી પડ્યા હતા. જેથી તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે ફરજ પરના તબીબોએ ગોરધનભાઈને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનાથી તેમના સાથી રામભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. નોખા ગામના 55 વર્ષીય ગોરધનભાઈ નાગજીભાઈ ઠાકોરનું મોત નિપજતા પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાયો છે. દિયોદર તાલુકાના ભાજપના સંગઠિત કાર્યકરો 9 ફેબ્રુઆરીના રોજ પાલનપુરથી અયોધ્યા રેલ્વે મારફતે રામલલ્લાના દર્શન કરવા માટે ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત