Team Chabuk-Gujarat Desk: TRP ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગમાં 28 લોકોના મોત થયા છે. હાલ તમામ મૃતકોના મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. એકપણ મૃતદેહની ઓળખ થઈ શકી નથી. કેમ કે તમામ મૃતદેહ બળીને ભડથું થઈ ગયા છે. પોટલામાં બાંધીને મૃતદેહો હોસ્પિટલ સુધી લાવવા પડ્યા હતા. મૃતકોની ઓળખ કરવા માટે તમામના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે. આ માટે પોસ્ટમોર્ટમ પહેલા ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે ગુમ વ્યક્તિઓના પરિવારજનો કલ્પાંત કરી રહ્યા છે. આ દુર્ઘટનામાં ગુમ થનાર લોકોના નામની યાદી સામે આવી છે.
આગ દુર્ઘટનામાં ગુમ વ્યક્તિઓના નામની યાદી
નક્ષજીતસિંહ જયપાલસિંહ જાડેજા (ઉં.વ. 23)
વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉં.વ. 44)
ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ. 15)
દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ. 15)
સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉં.વ. 45)
ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉં.વ. 35)
અક્ષય કિશોરભાઈ ઢોલરીયા (ઉં.વ. 24)
ખ્યાતિબેન સાવલીયા (ઉં.વ. 20)
હરિતાબેન સાવલીયા (ઉં.વ. 24)
વિશ્વરાજસિંહ જાડેજા (ઉં.વ. 23)
કલ્પેશભાઈ બગડા
સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા
નીરવ રસિકભાઈ વેકરીયા (ઉં.વ. 20)
સત્યપાલસિંહ જાડેજા (ઉં.વ. 17)
શત્રુગ્નસિંહ ચુડાસમા (ઉં.વ. 17)
જયંત ગોરેચા
સુરપાલસિંહ જાડેજા
નમનજીતસિંહ જાડેજા
મિતેષ બાબુભાઈ જાદવ (ઉં.વ 25)
ઓમદેવસિંહ ચુડાસમા (ઉં.વ. 35) રહે. ભાવનગર
વિરેન્દ્રસિંહ
આશાબેન ચંદુભાઈ કાથડ (ઉં.વ. 18 વર્ષ)
રાજભા પ્રદિપસિંહ ચૌહાણ (ઉં.વ. 12)
રમેશકુમાર નસ્તારામ (રહે. બાડમેર, રાજસ્થાન)
સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
મોનુ કેશવભાઈ ગોટે (ઉં.વ. 17)

ગુમ થનારમાં ઘણા લોકો એક પરિવારના પણ છે. તો કેટલાક નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં ગેમ ઝોનમાં કામ કરતાં કર્મચારીઓના પણ મોત થયા છે. હાલ પરિવારજનો પણ પોતાના સ્વજનની રાહમાં આક્રંદ કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત