Team Chabuk-Gujarat Desk: ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. ગીર સોમનાથના તાલાલાના ચિત્રાવડ ગામમાં તેમની ફોર્ચ્યુનર કારે કિયા કારને ટક્કર મારી હતી. આ ટક્કરમાં અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના પાછળ છ મહિના પહેલા થયેલી જૂની માથાકૂટ કારણભૂત હોવાનું મનાય છે. આ અકસ્માત બાદ દેવાયત ખવડ અને તેમના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે. જેનાથી આ મામલો વધુ ગંભીર બન્યો છે.
તાલાલાના ચિત્રાવડ ગામે દેવાયત ખવડ અને તેમના માણસોની ફોર્ચ્યુનર કારે ધ્રુવરાજસિંહ ચૌહાણની કિયા કારને ટક્કર મારી. આ અકસ્માતમાં ધ્રુવરાજસિંહને પગમાં ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા છે. આ ઘટના પાછળ છ મહિના પહેલા થયેલી માથાકૂટ કારણભૂત હોવાનું મનાય છે. 20 ફેબ્રુઆરીએ સનાથલમાં થયેલા એક ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેમની કાર પર હુમલો થયો હતો. પોલીસે આ મામલે ધ્રુવરાજસિંહ સહિત અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. આ ઘટના બાદ પોલીસે આ કેસમાં દેવાયત ખવડ અને તેમના માણસોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામે દેવાયત ખવડ અને તેમના માણસોની ફોર્ચ્યુનર કારે ધ્રુવરાજસિંહ ચૌહાણની કિયા કારને સામસામે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કિયા કાર રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ધ્રુવરાજસિંહને પગમાં ઈજા થઈ હતી. અકસ્માત બાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહને માર માર્યો હોવાના પણ સમાચાર છે. ઘાયલ થયેલા ધ્રુવરાજસિંહને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત