Homeગુર્જર નગરીઅમદાવાદના મોદી પ્રશંસક વિજયભાઈએ પીએમ કેયર્સમાં બે લાખ રૂપિયા આપ્યા અને છતાં...

અમદાવાદના મોદી પ્રશંસક વિજયભાઈએ પીએમ કેયર્સમાં બે લાખ રૂપિયા આપ્યા અને છતાં માતાને સારવાર માટે ખાટલો ન મળ્યો

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના અમદાવાદના વિજય પારેખની ટ્વીટે આજ સવારથી સોશિયલ મીડિયા પર પોતાનું વર્ચસ્વ જમાવીને રાખ્યું છે. એક સમયે પ્રધાનમંત્રીની કામગીરીના પ્રશંસક હતાં પણ હવે મહામારીમાં તેમણે પણ પ્રધાનમંત્રી સહિતના ખાતાને સવાલ પૂછ્યા છે.

વિજયભાઈ પારેખ સવાલ પૂછવાના પૂરતા હકદાર છે. મત આપ્યા બાદ તેમણે પીએમ કેયર્સમાં અઢી લાખ રૂપિયા પણ દાનમાં આપ્યાં હતાં. અઢી લાખનું દાન આપવા છતાં તેમના મમ્મીને ખાટલો ન મળ્યો. એટલે તેમણે એક સવાલ પૂછ્યો છે અને પૂછેલા આ એક સવાલ પાછળ હસવું કે રડવું એ ખબર નથી પડતી. લોકો પોત પોતાની રીતે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.

વિજયભાઈએ ટ્વીટર પર લખ્યું છે કે, ‘2 લાખ 51 હજાર રૂપિયા દાનમાં આપવા છતાં મારી માતાને હોસ્પિટલમાં બેડ ન મળી શક્યો. કૃપા કરી જણાવો કે કોરોનાની ત્રીજી લહેરમાં બુકિંગ કરાવવા માટે કેટલા રૂપિયા આપવા પડશે. જેથી હું મારા પરિવારના અન્ય કોઈ વ્યક્તિને ગુમાવું નહીં.’

વિજયભાઈએ આ ટ્વીટમાં પીએમઓ, રાજનાથ સિંહ, આરએસએસ, સ્મૃતિ ઈરાની અને રાષ્ટ્રપતિ ભવનને પણ ટેગ કર્યા છે. ઘણા લોકોએ વિજય પારેખના જવાબમાં સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ પીએમ કેયર્સ પર સવાલો પણ ઊભા કર્યા છે. વિજય પારેખે પણ કેટલાય ટ્વીટના જવાબ આપતા દેશહિતમાં ડોનેશન આપવાની વાત કરી છે. તો ઘણા એવા લોકો પણ છે જેમણે વિજય પારેખને તેમણે જ કરેલા જૂના ટ્વીટની યાદ અપાવી દીધી છે. જેમાં તેઓ પ્રધાનમંત્રી અને મોદી સરકારની ખુલ્લા દિલથી પ્રશંસા કરતાં હતાં.

વિજયભાઈ પારેખ પ્રધાનમંત્રી મોદીની કામગીરીના સમર્થક રહી ચૂક્યા છે. દાન કરનારા વિજય પારેખ 2010ની સાલથી ટ્વીટર પર છે. પ્રધાનમંત્રીની નીતિઓના તેમણે ભરપૂર વખાણ કર્યા છે. એટલું જ નહીં પીએમ મોદીની કામગીરીને રિ-ટ્વીટ પણ કરે છે. ત્યાં સુધી કે નોટબંધી દરમિયાન પણ તેમણે પ્રધાનમંત્રીના સમર્થનમાં ટ્વીટ કરી હતી. આ તમામ ટ્વીટ નીચે મૂકવામાં આવી છે.

વિજય પારેખે કરેલું આ ટ્વીટ ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે અને ઉપહાસનું કારણ પણ બની રહ્યું છે. આ ટ્વીટ પર 38 હજાર કરતા વધારે લાઈક અને સોળ હજાર રિ-ટ્વીટ આવી ચૂક્યા છે. તેમને ઘણા લોકોએ મંતવ્ય આપતા જણાવ્યું છે કે નાહકના તેઓ પોતાના પૈસા બગાડી રહ્યા છે. જોકે વિજયભાઈએ તેમને જવાબ પણ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, પૈસા કોઈ કારણ નથી. એ પોતાના તમામ રૂપિયા ડોનેટ કરી શકે છે. પણ કોઈને આ રીતે પીડા સહન ન કરવી પડે જે રીતે તેમને કરવી પડે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments