Team Chabuk-Gujarat Desk: અમદાવાદના જાણીતા આરજે અને મિર્ચી મુર્ગા ફેમ આરજે કૃણાલના પિતાએ આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં જનતાનગર ફાટક પાસે એક વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી હોવાની જાણકારી પોલીસને મળી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક વ્યક્તિ અમદાવાદના જાણીતા આરજે કૃણાલના પિતા ઈશ્વર દેસાઈ છે. મૃતક ઈશ્વર દેસાઈના મૃતદેહ પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં આજે કૃણાલની પૂર્વ પત્નીના પરિવારજનો સામે આરોપો કરવામાં આવ્યા છે. હાલ આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સોલા વિસ્તારમાં આવેલા જનતાનગર ફાટક પાસે ઈશ્વર દેસાઈ નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું કે, મૃતક રેડિયો જોકી કુણાલના પિતા છે. આ સમગ્ર બનાવવામાં હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.
બીજી તરફ આરજે કુણાલની પૂર્વ પત્ની ભૂમિએ પણ થોડા વર્ષ અગાઉ આત્મહત્યા કરી હતી મૃતક ઈશ્વર દેસાઈની ડેડબોડી પાસે પોલીસને એક સુસાઇડ નોટ મળી છે. જેમાં પૂર્વ પત્ની ભૂમિના પરિવાર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે.
આરજે કૃણાલની પ્રથમ પત્ની ભૂમિએ પણ કરી હતી આત્મહત્યા
આરજે કૃણાલ અને ભૂમિના લગ્ન 24 નવેમ્બર 2015ના રોજ થયા હતા, પરંતુ લગ્નના બે મહિનાથી પણ ઓછા સમયમાં કૃણાલે ભૂમિને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેને લઈને તેણે અમદાવાદના સચિન ટાવરના એચ બ્લોકના 10મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે કુણાલ સહિત તેના માતા-પિતા પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મામલે RJ કૃણાલને 9 મહિના જેલમાં વીતાવવા પડ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
