Team Chabuk-Gujarat Desk: ગત 20 જુલાઈની રાત્રે અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર બેફામ કાર ચલાવીને 9 નિર્દોષ લોકોના જીવ લેનારા તથ્ય પટેલ સામે અમદાવાદ RTO દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તથ્ય પટલેનું ડ્રાઈવિંગ લાઈસન્સ કાયમી માટે રદ કરી દેવામાં આવ્યું છે. જેથી હવે તથ્ય પટેલ કોઈ દિવસ કાર ચલાવી શકશે નહીં. લાઈસન્સ રદ કરવાના ઓર્ડરમાં તથ્ય પટેલ રીઢો ગુનેગાર હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદ RTOમાં કાયમી લાઈસન્સ રદ કરવાનો આ સંભવિત પ્રથમ કિસ્સો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ટ્રાફિક પોલીસે તથ્ય પટેલનું લાઈસન્સ રદ કરવા માટે RTOને પત્ર લખ્યો હતો. તથ્ય જીજે-01-20220006171 નંબરનું નોન ટ્રાન્સપોર્ટ ડ્રાઇવિંગ ધરાવતો હતો અને તેની સમય મર્યાદા 11-2-22થી 19-12-2043 સુધીની હતી. પોલીસ ફરિયાદ મુજબ તથ્ય પટેલે ઇ.પી.કો.કલમ 279, 338, 304, 504, 506(2),114, એમ.વી.એક્ટ કલમ- 177, 184 અને 134(બી) હેઠળ ઘણીવાર ટ્રાફિકના ગુનાઓ આચર્યા હતા. આથી તે રીઢો ગુનેગાર હોવાનું સાબિત થતા RTO દ્વારા તેનું લાઈસન્સ કાયમી માટે સસ્પેન્ડ કરવી દેવામાં આવ્યું છે.

આ તરફ તથ્ય પટેલના રિમાન્ડ પુરા થઈ ગયા છે. જો કે પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ દરમિયાન ગ્રામ્ય કોર્ટ સમક્ષ તથ્ય પટેલે કેટલીક માગ કરી હતી. જેમાં ટિફિનથી લઈને ભણતર સહિતની માગણીઓ હતી. આ માગણીઓ પર કોર્ટે જેલ મેન્યુઅલ પ્રમાણે તેને બે ટાઈમ ઘરનું ભોજન મળે તે માટે પરવાનગી આપી છે. હવે તથ્ય પટેલને ઘરનું ભોજન મળી શકશે. જોકે અઠવાડિયામાં એક જ વખત સગાને મળવા અને ફોન કરવાની પરવાનગી આપી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
