શૈલેષ નાઘેરા: ગીર સોમનાથના ઊના તાલુકામાં ફરી માઈનિંગ માફિયાઓ બેફામ બન્યા છે. તાલુકના ઉમેજ ગામના સરવે નંબર ૧૨૫ પૈ-૨ પૈ-૧ની જમીનમાં ગામનું તળાવ આવેલું છે. આ તળાવમાંથી માટી કાઢવા માટે નાયબ કાર્યપાલક ઇજનેર, પંચાયત સિંચાઇ પેટા વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે પરંતુ ખોદકામ કરી માટીની જગ્યાએ જમીનમાંથી માઇનિંગ કાઢવામાં આવી રહ્યું હતું અને રાજુલા જાફરાબાદની સિમેન્ટ કંપનીઓમાં અન્ય જિલ્લાની રોયલ્ટી પાસ લઈ સપ્લાય કરવામાં આવતું હતું. એટલું જ નહીં ખોદકામ માટે એક જ જેસીબી મશીનના નંબર નોંધાયેલ છે પરંતુ ખોદકામ ત્રણ જેસીબીથી થઈ રહ્યું હતું. આ તમામ બાબતોની જાણ ઉનાના મામલતદારને જાણ થતાં તેમણે તાત્કાલિક કામ બંધ કરાવી ગીર સોમનાથ જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે.
ઊના મામલતદારને કેવી રીતે જાણ થઈ ?
ઉમેજ ગામમાં સુલજલામ સુફલામ યોજના હેઠળ તળાવમાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જેમાં માટીની જગ્યાએ માઈનિંગ નીકળતાં સ્થાનિકોએ ઊના મામલતદારને જાણ કરી હતી જે બાદ મામલતદાર ખુદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરી હતી.
સૂત્રોનું માનીએ તો માઈનિંગ કાઢનારા ઉના તાલુકાના મોટા માઈનિંગ માફિયા અને રાજકીય વગ ધરાવતા લોકો છે. આ ઉપરાંત તેમની ખાણ ખનીજના અધિકારી સાથે પણ સારા સંબંધો હોવાની ચર્ચા છે. આ સર્વે નંબરવાળા તળાવમાંથી માઇનિંગ કાઢવામાં આવતું હોય તેથી ઉના મામલતદાર દ્વારા તપાસ કરાતા માટીકામની પરમીટ બતાવી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
આ માઈનિંગ માફિયાએ ઉના, ગીર ગઢડા તાલુકાની અનેક સરકારી તેમજ ગૌચરની જમીનોમાંથી માઈનિંગ ચોરી કરી આસપાસની જગ્યાઓને બંજર બનાવી નાખી છે. આ માઈનિંગ ચોર અન્ય જિલ્લાના રોયલ્ટી પાસ લઈ ઉના, ગીર ગઢડા તાલુકાની હદમાંથી માઈનિંગ ચોરી કરી સિમેન્ટ કંપનીઓમાં સપ્લાય કરી રહ્યો હોવાનો આરોપ છે.
આરોપ છે કે, જે માઈનિંગ માફિયા આ સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યો છે તેણે માઈનિંગના કાળા રૂપિયે જ જલ્સા કરી રહ્યો છે. દાવો છે કે, એક સમયે તે માત્ર એક સામાન્ય ટ્રેક્ટર ડ્રાઈવર હતો જો કે, આજે તેની પાસે કરોડો રૂપિયાના વાહનો અને મોંઘીદાટ કાર તેમજ વૈભવી બંગલા છે. આ ઉપરાંત તેની પાસે કરોડો રૂપિયાની જમીન પણ છે. જો આ કેસમાં ઉચ્ચ અધિકારીઓ પારદર્શક તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત