Homeગુર્જર નગરીબિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલ પટેલની મહત્વની આગાહી, જાણો શું કહ્યું ?

બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલ પટેલની મહત્વની આગાહી, જાણો શું કહ્યું ?

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બિપોરજોય (biparjoy) વાવાઝોડા અંગે મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલે શક્યતા વ્યત્ક કરી છે કે વાવાઝોડું આક્રમક અને તોફાની હશે. અંબાલાલ પટેલ જણાવ્યું છે કે, આ સિસ્ટમ વિવિધ કેટેગરીમાં થઈને સુપર સાઈક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે. જેના કારણે તારીખ 7, 8 અને 9 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં તોફાન ઉઠશે. તેમણે નક્ષત્રોની વાત કરીને દરિયામાં પવનો બદલાતા હોવાનું પણ જણાવ્યું છે.

જો વાવાઝોડું ઓમાન તરફ જાય તો તેની ગતિ 200 કિલોમીટર પ્રતિ કલાકની થઈ શકે છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. વાવાઝોડાના ટ્રેકને સમજવું સહેલું ના હોવાનું પણ તેઓ કહે છે. જો વાવાઝોડું ઓમાન તરફ જાય તો પણ તેની અસર ગુજરાત પર થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે જો બિપોરજોય વાવાઝોડું ઓમાન તરફ જાય તો પણ તેની અસર પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર થઈ શકે છે, અને અહીં અતિભારે વરસાદ થઈ શકે છે.

doctor plus

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાત સિવાય મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આગળ વધ્યા બાદ કેરળમાં વરસાદ થશે. અટકી ગયેલા ચોમાસા અંગે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, 7, 8 અને 9 તારીખ દરમિયાન કેરળ કાંઠે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. તેમણે આગામી સમયના હવામાન અંગે વાત કરીને જે સંભાવનાઓ વ્યક્ત કરી તે પછી તેમણે હવામાન વિભાગ આ મામલે વધુ સચોટ આગાહી કરી શકે છે તેમ પણ જણાવ્યું હતું.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments