Team Chabuk-Gujarat Desk: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મહાદેવના દર્શન કરી ગૃહમંત્રીએ પરિવાર સહિત ધ્વજા પૂજા કરી હતી.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રીનું મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ સોમનાથ મંદિરના પંડિતો અને ઋષિકુમારોના શ્લોકોચ્ચાર વચ્ચે ગૃહમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને સોમનાથ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા-અર્ચના કરી હતી.
આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્ર પીઠિયા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ