Team Chabuk-Gujarat Desk: ભૂતકાળમાં ગુજરાતમાં ભોજનમાંથી જીવજંતુ નીકળ્યાના બનાવોએ સ્વાદપારખુઓને ચિંતામાં ગરકાવ કરી દીધા છે. કોઈ કોઈ વખત આવા બનાવો સમાચારોમાં ચમકતા રહે છે. આ વખતે વારો આવ્યો છે આણંદ શહેરનો. આણંદ શહેરની સોજીત્રા રોડ પર આવેલી એક બહુચર્ચિત રેસ્ટોરન્ટમાંથી ઈયળ નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકને એવી આશા હતી કે આ અંગે જવાબદાર વ્યક્તિઓ કોઈ ઢંગનો ઉત્તર આપશે. તેની જગ્યાએ ઉલટા ચોર કોટવાલ કો દાટે એવી સ્થિતિ સર્જાઈ હતી અને ગ્રાહકને બેફિકરાઈભર્યો જવાબ મળ્યો હતો.
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર. આણંદ શહેરના સોજીત્રા રોડ ખાતે આવેલી એક પિત્ઝા રેસ્ટોરન્ટમાં ભારતભાઈ પરમાર તેમના પરિવારની સાથે ગયા હતા. જ્યાં મરચાંની ડબ્બીમાંથી ઈયળો નીકળતા ભરતભાઈએ હોટલના મેનેજરને આ વિશેની ફરિયાદ કરી હતી.
એવું લાગે કે મેનેજર સાહેબનું મોં નીચું પડી જશે, તેની જગ્યાએ મેનેજરે કહ્યું હતું કે, ‘આવું તો ચાલ્યા કરે.’ સાથે જ તેમણે બિલ માફ કરવાની તૈયારી દર્શાવી હતી. આખરે ભારતભાઈ પરમારે આ અંગેની ફરિયાદ ગ્રાહક સુરક્ષા મંડળ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં કરવાની તજવીજ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
