Team Chabuk-Gujarat Desk: છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં આપઘાતની ઘટનાઓ કૂદકે ને ભૂસકે વધી રહી છે. ખાસ તો સરકારી કર્મચારીઓ અને તેમાં પણ બે પોલીસ જવાનના આ જ મહિને આપઘાતના બનાવો બન્યા છે. અમદાવાદમાં પોલીસ સ્ટેશનની અંદર જ ખૂદને ગોળી મારી આપઘાત કરનારા કોન્સ્ટેબલની ઘટનાના શાહીના ડાઘ હજુ સુકાયા નથી ત્યાં તો વધુ એક મહિલા LRD જવાનની આત્મહત્યાથી પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આપઘાતની આ ઘટના અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે બનવા પામી છે. પોલીસે મહિલા એલઆરડી જવાનની આપઘાતનો કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
29 વર્ષીય મંગુબહેન નિનામા ભિલોડા પોલીસ લાઈનના ક્વાર્ટર ખાતે રહેતા હતા અને પોલીસકર્મી તરીકેની ફરજ બજાવતા હતા. મહિલા પોલીસકર્મીએ તારીખ 21ના રોજ રાતના સાડા અગિયાર વાગ્યે આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ પોલીસને સાડા બાર વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી.
મહિલા પોલીસ ઓફિસરે પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો છે. પોલીસનું પ્રાથમિક દૃષ્ટીએ કોઈ પણ અંતિમ કારણ સુધી નથી પહોંચી. ઘટનાની તપાસ ચાલી રહી છે. આ મહિલાના પતિ પણ એસઆરપીમાં ફરજ બજાવે છે. હાલ તો પોલીસે મહિલા જવાનના મૃતદેહનો કબ્જો લઈ તેમને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે.
આ મહિલા પહેલા આ જ મહિનાની 15મી તારીખના રોજ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ ઉમેશ ભાટીયાએ પણ ખૂદને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. તેઓ પાલડી પોલીસ સ્ટેશન ખાતે એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા. જે દિવસે તેમણે આપઘાત કર્યો એ દિવસે વોટ્સએપ પર બાયબાયનું સ્ટેટસ પણ મૂક્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત