Team Chabuk- Gujarat Desk: વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં કાશ્મીરી ગુલાબ સહિત ફૂલોની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે એટલે કે આ તાલુકો ગુલાબની સુગંધિત ખેતીનું કેન્દ્ર બન્યો છે. કરજણ તાલુકામાં મુખ્યત્વે સાયર મોટી કોરલ અને નાની કોરલ, પૂરા, દેરોલી, રણાપૂર, કોઠીયા, અને દિવેર વગેરે ગામોમાં કાશ્મીરી તથા દેશી ગુલાબની ખેતી થાય છે.
કરજણ તાલુકાના સાયર ગામના મુકેશ માછી અને રોશન માછીનો પરિવાર પેઢી દર પેઢીથી ગુલાબની ખેતી કરે છે. સાયર ગામની ૧૦૦ હેકટર જમીનમાંથી ૯૦% જમીનમાં કાશ્મીરી અને દેશી ગુલાબની ખેતી કરવામાં આવે છે એવું તેમનું કહેવું છે. તદુપરાંત, અહીંના ખેડૂતો મોગરો અને પારસની પુષ્પખેતી પણ કરે છે.
મુકેશ માછીના જણાવ્યા મુજબ છેલ્લા ૩૦ વર્ષથી સાયર ગામમાં ગુલાબની ખેતી કરવામાં આવે છે. મુકેશ માછીએ જણાવ્યુ કે કોરોના કાળના લોકડાઉન સમય દરમિયાન ગુલાબના ભાવ ઓછા થઈ જતાં તેમણે પહેલીવાર ગુલાબની પાંખડીઓ સૂકવીને સાવલી તાલુકાના કુંજરાવમાં વેચી આવક મેળવી હતી.
કાશ્મીરી ગુલાબની પાંખડીઓ દેશી ગુલાબની તુલનાએ મોટી અને વધુ સારી હોય છે તેથી ગુલકંદ બનાવવા માટેની ગુણવત્તા સારી રહે છે. કાશ્મીરી ગુલાબ દેશી ગુલાબની સરખામણીમાં વધુ ટકાઉ છે. આ ગુલાબની વીણી દિવસે કરી શકાય છે. જ્યારે દેશી ગુલાબમાં વીણી રાત્રે કરવી પડે છે. આમ, આ ગુલાબે રાત્રિ જાગરણની અસુવિધાનું નિવારણ કર્યું છે.
વડોદરા ખાતેના બાગાયત અધિકારી યોગેશભાઈ જણાવે છે કે બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને ગુલાબના વાવેતર માટે હેકટર દીઠ સબસિડી આપવામાં આવે છે. બાગાયત વિભાગ નાના અને સીમાંત( small and marginal farmers) ખેડૂતોને હેકટર દીઠ રૂ. ૧૬,૦૦૦ ની અને મોટા ખેડૂતોને હેકટર દીઠ રૂ. ૧૦,૦૦૦ ની વાવેતર સહાય કરે છે.
આ વિસ્તારના ખેડૂતો કાશ્મીરી ગુલાબનું વેચાણ વડોદરા, સુરત, અમદાવાદ, ભાવનગર જેવા શહેરોમાં કરે છે. મોટા વેપારીઓ આ ગુલાબ પાર્સલથી મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં મોકલે તો છે.
યોગેશભાઈ જણાવે છે કે સન ૨૦૨૦- ૨૧માં વડોદરા કચેરી દ્વારા અંદાજે ૨૦૦ જેટલા ખેડૂતોને ૩૦ હેકટર જમીનમાં ગુલાબની ખેતી માટે વાવેતર સહાય આપવામાં આવી હતી.
(ફોટો અને માહિતી સ્ત્રોત- ગુજરાત સરકાર માહિતી વિભાગ)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત