Team Chabuk-Gujarat Desk: રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે જંત્રીના વધારા મામલે યુ-ટર્ન લીધો છે. રાજ્ય સરકારે જંત્રી દરમાં કરેલો વધારો હાલ પૂરતો મોકૂફ રાખીને અમલી બનાવવાનું ટાળ્યું છે. જો કે જંત્રી દરમાં કરેલો વધારો આગામી તારીખ 15 એપ્રિલ, 2023થી લાગુ પડશે. રાજ્ય સરકારે લીધેલા આ નિર્ણયથી રાજ્યના રિયલ એસ્ટેટ અને સામાન્ય લોકોને થોડા દિવસ માટે રાહત થઈ છે.
રાજ્યમાં 4 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખી આગામી તારીખ 15 એપ્રિલથી અમલી કરવામાં આવશે. જેના કારણે સામાન્ય જનતા અને રિયલ એસ્ટેટને રાહત મળી છે.
જંત્રીના મુદ્દા પર રાજ્ય સરકાર પર સતત દબાણ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ રાજ્યભરમાં બિલ્ડર સંગઠન દ્વારા જિલ્લા સ્તરે રજુઆતો કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ ક્રેડાઇ સહિતના સંગઠનોએ ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રીથી લઈ સ્ટેમ્પ ડ્યુટી અધિકારીઓને પણ જંત્રીના વધારા કારણે થનાર તકલીફો અંગે માહિતગાર કર્યા છે. ત્યારે બિલ્ડરો અને સામાન્ય લોકોમાં રોષ વધે તે પહેલાં જ આ નિર્ણયને હાલ પૂરતો અમલી બનાવવાનું ટાળ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
