Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ પ્રેમસંબંધના મનદુઃખમાં યુવકની કરપીણ હત્યા

સુરેન્દ્રનગરઃ પ્રેમસંબંધના મનદુઃખમાં યુવકની કરપીણ હત્યા

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા લગભગ એક જ મહિના જેટલા સમયમાં ચોથો હત્યાનો કેસ નોંધાયો છે. જેને લઈ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. તાજેતરમાં જ બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં છરીના ઘા ઝીંકી એક યુવાનની હત્યા કરી દેવાઈ હતી. પોલીસે આ કેસમાં કુલ 5 આરોપીઓને ઝડપી લીધા છે. બીજી તરફ ભરબજારે થયેલી યુવકની હત્યાનો વીડિયો પણ સામે આવ્યો છે.

વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બે દિવસ પહેલાનો જ વીડિયો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ પ્રેમ સબંધમાં સમાધાનમાં મારામારી થઈ હતી. બાદમાં યુવકને છરીના ઘા અને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વીડિયોમાં પણ જોઈ શકાય છે કે, હત્યારા બેફામ થઈ યુવકને માર મારી રહ્યાં છે. હાજર કેટલીક મહિલાઓ આજીજી કરી રહી છે કે એને છોડી દો પરંતુ આરોપીને સહેજ પણ દયા નથી આવતી અને તે ઉપરા છાપરી વાર ચાલુ રાખે છે.

surendranagar murder

મહત્વનું છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન બાબતે બે સગાભાઈની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જે બાદ પાટડીના વડગામમાં 19 વર્ષીય યુવકની હત્યા થઈ હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments