Team Chabuk-Gujarat Desk: ગાંધીનગરના કલોલમાં એસટી બસના અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બસની રાહ જોઈને ઉભેલા મુસાફરો પર બસ ફરી વળી હતી જેમાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
મળતી માહિતી મુજબ સવારે સવા સાત વાગ્યા આસપાસ અંબિકા નગર બસ સ્ટેન્ડ પર લોકો બસની રાહ જોઈને ઉભા હતા. ત્યારે જ આ દુર્ઘટના બની હતી. બનાવની જાણ થતાં તંત્ર દોડતું થયું હતું અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

અમદાવાદ તરફ જઈ રહેલી વિરમગામ ડેપોની મીની બસે મુસાફરોને ટક્કર મારી છે. અકસ્માત બાદ બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
