Team Chabuk-Gujarat Desk: મોરબીની ઝૂલતા પુલ (Morbi Julta pool) દુર્ધટનામાં જવાબદારો સામે માનવવધની કલમ ૩૦૪, ૩૦૮ અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેર કર્યું છે. મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પી.કે.દેકાવાડીયાએ ઝૂલતા પુલની મેન્ટેનન્સ ટીમની એજન્સી તેમજ મેનેજમેન્ટ કરનાર એજન્સી તેમજ તપાસમાં જે ખુલે તેની સામે ફરિયાદ નોંધાવી છે. સાથે જ ઝૂલતા પુલના સંચાલક ઓરેવા ટ્રસ્ટ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.
મોરબીમાં ગઈકાલે સાંજે ઝૂલતો પુલ તૂટી પડતા 141 લોકોના અત્યાર સુધીમાં મોત નિપજ્યા છે. ત્યારે આ મામલે સરકારે સીટની રચના કરીને તેના 5 સભ્યોની નિયુક્તિ પણ કરી દીધી છે. બીજી તરફ જવાબદારોને નહિ છોડવાનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવીને ઉમેર્યું હતું કે કડકમાં કડક પગલાં લઈને મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવીશું. આ ઘટના પાછળ જે જવાબદાર છે તેની સામે માનવવધની IPC કલમ ૩૦૪, ૩૦૮ અને ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
