Team Chabuk-Gujarat Desk: મોરબીમાં ઘટેલી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 140થી વધુ લોકોના મોત થયા છે. આજે સાંજે મોરબીના જાણીતા ઝુલતા પુલ પર એકાએક ભીડ વધી જતા પુલ વચ્ચેથી તૂટી ગયો હતો અને 200થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યાં હતા. ત્યારે આ ઘટનામાં 140થી વધુ મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
મોરબી: રીનોવેશન બાદ બેસતાં વર્ષે ખુલ્લો મૂકયેલો ઝૂલતો પુલ તૂટ્યો, અનેક લોકો નદીમાં પડ્યાં#Morbi #Zultopool #hangingpool pic.twitter.com/FJ6rnknau9
— thechabuk (@thechabuk) October 30, 2022
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા મૃતકોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે.
CM Shri @Bhupendrapbjp announces compensation of ₹ 4 lakh to the family of each deceased and ₹ 50,000 to the injured in the tragic incident at Morbi.
— CMO Gujarat (@CMOGuj) October 30, 2022
મોરબીમાં આજે સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં અનેક લોકો નદીમાં ડૂબી ગયા છે. આ ઘટનામાં જે લોકોનું મૃત્યુ થયું છે તેઓના પરિવારોને પીએમ ફંડમાંથી રૂ. 2 લાખ તેમજ જે લોકોને ઇજા થઇ છે તેઓને રૂ. 50 હજારની સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત હવે રાજ્ય સરકાર દ્વારા પણ મૃતકોના પરિવારને 4 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.
ઝૂલતા પુલ દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં પાંચ સભ્યોની સમિતિ આ મામલે તપાસ હાથ ધરવાની હોવાનું સરકાર દ્વારા જણાવાયું છે. રાજ્ય સરકાર દ્રારા આ ઘટનાની તટસ્થ તપાસ માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમીતિમાં 5 સભ્યોની ટીમ ઘટના અંગે તપાસ કરી બાદમાં સરકારને રિપોર્ટ સોંપશે.
PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each of those who lost their lives in the mishap in Morbi. The injured would be given Rs. 50,000.
— PMO India (@PMOIndia) October 30, 2022
ઝૂલતો પુલ દુર્ઘટનાને પગલે રાજ્ય સરકારે મોરબીની આસપાસની તમામ હોસ્પિટલોને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ જારી કર્યો છે. ખાસ રાજકોટની હોસ્પિટલમાં પણ આ અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ દુર્ઘટના મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વોર્ડ ઊભા કરવાની તૈયારી કરાઈ છે. 10 જેટલા તબીબોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ તબીબોની ટીમ મોરબી આવવા માટે રવાના થઈ છે.
બીજી તરફ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એસપી સહિતના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો બચાવ કાર્યમાં જોડાયા છે. તરવૈયાઓ પણ મોટી સંખ્યામાં પાણીમાં ઉતરીને લોકોને બહાર કાઢી રહ્યા છે. મોરબી જિલ્લાની 12 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ બચાવ કાર્ય ઝડપથી થાય તે માટે હજુ પણ રાજકોટ, જામનગર, ધ્રોલ, જોડિયા સહિતના સ્થળેથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી રહી છે. એલસીબી પીઆઇ કે. જે ચૌહાણ સહિત 50 જેટલો પોલીસ સ્ટાફ નદીમાં બચાવવા માટે પડ્યો છે
દુર્ઘટના મુદ્દે મોરબી કલેક્ટરે ટ્વીટ કરીને કહ્યું છે કે, મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આપત્તી વ્યવસ્થાપનની કામગીરીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત રહી કામગીરી કરી રહ્યું છે.
મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા કલેકટર કચેરીનાં ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમના ટેલીફોન
— Collector & District Magistrate, Morbi (@CollectorMorbi) October 30, 2022
02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટનાની નોંધ લીધી છે અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ તંત્રને તાત્કાલિક ઘટતુ કરવા સૂચના આપી છે.
PM @narendramodi spoke to Gujarat CM @Bhupendrapbjp and other officials regarding the mishap in Morbi. He has sought urgent mobilisation of teams for rescue ops. He has asked that the situation be closely and continuously monitored, and extend all possible help to those affected.
— PMO India (@PMOIndia) October 30, 2022
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
