Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર અને IAS અધિકારી કે. રાજેશની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કેમ કે પૂર્વ કલેક્ટર કે.રાજેશને ત્યાં CBIની ટીમે દરોડા પાડ્યા છે. ગાંધીનગરમાં સેક્ટર 19માં આવેલા તેમના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હીમાં CBIમાં FRI નોંધાયા બાદ મોડી રાત્રે CBIની ટીમ દ્વારા કે. રાજેશને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.
હાલ કે. રાજેશ ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. પરંતુ તેઓ જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવતાં હતા ત્યારે તેમના પર અનેક અરજદારોએ ફરિયાદ નોંધાવી હતી. તેમના પર હથિયારની પરવાનગી આપવામાં ગેરરીતિ કર્યાનો આરોપ લાગ્યો હતો. CBIમાં થયેલી આ અંગેની ફરિયાદ બાદ 2011ની બેચના IAS અધિકારી કે. રાજેશના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને રાત્રીથી જ દરોડા પાડવામાં આવ્યા છે. CBIની ટીમ હાલ કે. રાજેશના નિવાસ સ્થાને તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
