Homeગુર્જર નગરી25 ઓક્ટોબરે સોમનાથ દાદાના દર્શને જવાના હોય તો નોંધી લો આ સમય,...

25 ઓક્ટોબરે સોમનાથ દાદાના દર્શને જવાના હોય તો નોંધી લો આ સમય, ગ્રહણના કારણે આરતી, પૂજનના સમયમાં ફેરફાર

Team Chabuk-Gujarat Desk: તા.25 ઓક્ટોબરના રોજ ખગ્રાસ સુર્યગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે સુર્યગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્ષતુ હોવાથી પાળવાનુ આવશ્યક હોય, જે અનુસંધાને સોમનાથના સ્થાનિક સમય પ્રમાણે નિચે મુજબ સમયે વેધ-સ્પર્ધ-મધ્ય-મોક્ષ વિગેરે થાય છે. સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં આરતી તેમજ નિત્ય- પૂજનના સમયમાં ફેરફાર રહેશે. શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો નિત્ય પૂજા-આરતી બંધ રહેશે. તેમજ ગ્રહણ મોક્ષ બાદ નિત્યપૂજન આરતીનો ક્રમ યથાવત રહેશે.

ગ્રહણ દરમિયાન તારીખ-25/10/2022 મંદિરના પૂજામાં પ્રાતઃમહાપૂજન-આરતી, મધ્યાહ્ન મહાપૂજન આરતી-ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. તા. 25/10/2022 ગ્રહણ મોક્ષ પછી પૂજન સાંજે 6-50 થી પ્રારંભ થશે, તેમજ સાંજની આરતી 7-30 કલાકે કરવામાં આવશે. ગ્રહણ દરમિયાન દર્શનનો સમય સવારે 6-00 થી રાત્રે 10-00 સુધી યથાવત રહેશે.

ગ્રહણ વિગત
ગ્રહણ માહિતીતારીખસમય
વેધ પ્રારંભ25/10/2022સવારે 4-49
ગ્રહણ સ્પર્શ25/10/2022સાંજે 4-01
ગ્રહણ મધ્ય25/10/2022સાંજે 5-19
ગ્રહણ મોક્ષ25/10/2022સાંજે 6-16
whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments