Team Chabuk-Gujarat Desk: ભાવનગર-વલ્લભીપુર હાઈવે પર ટ્રક ચાલકે અડફેટે લેતાં બાઈક પર જઈ રહેલા પતિ-પત્નીનું મોત નિપજ્યું છે. મૃતક દંપતી સિહોર તાલુકાના જાંબાળા ગામનો વતની છે અને તેઓ દડવા ગામે માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓના બાઈકને ટ્રક ચાલકે અડફેટે લીધું હતું. જેમાં પતિ-પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પતિ-પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે તેમની સાથે રહેલા બાળકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયું છે.
મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના જાંબાળા ગામે રહેતા ભદ્રેશ સુરેશભાઈ ફમાણી તેમની પત્ની પાયલબેન અને પાંચ વર્ષીય પુત્રને લઈને પોતાના બાઈક પર ઉમરાળા તાલુકાના દડવા ગામે આવેલા રાંદલ માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યાં હતાં. આ વખતે ભાવનગર-વલ્લભીપુર રોડ પર ચમારડી ગામથી આગળ પેટ્રોલપંપ પાસે એક ટ્રક ચાલકે બાઈક સવાર દંપતી અને તેમનાં બાળકને અડફેટે લેતાં અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દંપતીએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. જયારે બાળકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ ઘટના સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પર છોડી ફરાર થઈ ગયો છે. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રોડ પર આસપાસના લોકો પણ દોડી આનવ્યા હતા. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહેંચીને વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
