Team Chabuk-Gujarat Desk: અમરેલીના ખાંભા તાલુકાના પાટી ગામમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ખેતીકામ કરતા 95 વર્ષીય માતા દુધીબેન સુહાગિયા અને 60 વર્ષીય પુત્ર સુરેશ સુહાગીયાની અજાણ્યા શખ્સો દ્વારા ઘાતકી હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
અપંગ માતા દુધીબેન સુહાગિયાની મકાનમાં રહેલા ખાટલામાં હત્યા કરવામાં આવી હતી, જ્યારે પુત્ર સુરેશ સુહાગીયાનો ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ડીવાયએસપી હરેશ વોરા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મૃતદેહને જોતાં ગળા અને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઈજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું હતું, ત્યારે હાલ તો ડબલ મર્ડરની ઘટનાના પગલે પોલીસે હત્યારાઓનું પગેરું મેળવવા સહિત વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવને લઈ પોલીસ દ્વારા આસપાસના ખેડૂતોના નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરેલી એલસીબી, એસઓજી, ખાંભા અને રાજુલા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
અમરેલી SP હિમકર સિંહે કહ્યું હતું કે, આ ઘટનામા તપાસ ચાલી રહી છે એલસીબી એસઓજી રાજુલા પી.આઈ.ડી.વાય.એસ.પી સહિત અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. લૂંટના ઇરાદે બનાવ બન્યો હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ નથી લાગતું હાલ પોલીસની ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત