Homeગુર્જર નગરીપાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહેલા પરિવારને ધોળકા નજીક અકસ્માત નડ્યો, પાંચ...

પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહેલા પરિવારને ધોળકા નજીક અકસ્માત નડ્યો, પાંચ લોકોના મોત

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના ધોળકા નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ખંભાતનો પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન વહેલી સવારે ધોળકાના વારણા ગામ નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. હાલમાં અકસ્માતને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, ખંભાતનો પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો અને પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો તે સમયે તેમની ઈકો કારનો ધોળકાની વટામણ ચોકડી પાસે વારણા ગામ નજીક ટેન્કર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતક તમામ ખંભાતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

મહત્વનું છે કે, હજુ 6 દિવસ પહેલાં જ લીંબડી નેશનલ હાઈવે પર જનસાળી પાસે રોડનાં કામ ચાલતાં હોવાથી રોંગ સાઈડમાં આવતી ટ્રક સાથે કાર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહેલાં દાદા, દાદી સાથે 6 વર્ષની પૌત્રીનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments