Team Chabuk-Gujarat Desk: વડોદરા નજીક નેશનલ હાઈવે નંબર-48 પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા છે. હાઈવે પર ઉભેલા ટ્રેલરની પાછળ કાર ઘુસી જતાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. તમામ મૃતકો એક જ પરિવારના હોય સગા-સંબંધીઓ અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
બનાવની વિગતો જોઈએ તો, વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શહેરના તરસાલી વિસ્તારમાં રહેતો પટેલ પરિવાર પોતાના વતન રાજપીપળા ગયો હતો. જ્યાંથી પરત આવતી વખતે હાઇવેની બાજુમાં ઉભેલું ટ્રેલર નજરે પડ્યું ન હતું જેથી કાર પાછળથી ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે. મૃતકમાં એક વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. જો કે એક ચાર વર્ષીય બાળકનો અકસ્માતમાં આબાદ બચાવ થયો છે.

મૃતકોના નામ
પ્રજ્ઞેશભાઈ પટેલ (34)
મયુર પટેલ (30)
ઉર્વશી પટેલ (31)
ભૂમિકા પટેલ ( 28)
લવ પટેલ (1)
અકસમાતમાં ચાર વર્ષીય અસ્મિતા પટેલનો આબાદ બચાવ થયો હતો. જેને સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતના પગલે પોલીસ વિભાગ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને કારમાંથી બહાર કાઢી પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી અપાયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત