Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ગામોને મોરબી જિલ્લામાં ભેળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આવતા સરા, આંબરડી, કરશનગઢ, રામપરા અને નાડધ્રી ગામને ટૂંક સમયમાં હળવદ તાલુકામાં ભેળવી દેવામાં આવશે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને મોરબી જિલ્લાને મોકલી આપવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયે સરકાર દ્વારા વિધિવત ગેજેટમાં પ્રસિદ્ધ કરશે.
મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં આવતા મુળી તાલુકાના સરા, આંબરડી,કરશનગઢ, રામપરા અને નાડધ્રી ગામ ભૌગલિક રીતે મોરબી જિલ્લાના હળવદ તાલુકાથી નજીક થતા હોય આ ગામોનો મોરબી જિલ્લામાં સમાવેશ કરવા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી મોરબી જિલ્લા વહીવટી તંત્રમાં પ્રકરણ મોકલવામાં આવ્યું છે.
વધુમાં હળવદ તાલુકા વિકાસ અધિકારી ચૌધરીએ આ બાબતે જણાવ્યું હતું કે, મુળી તાલુકા હેઠળ આવતા સરા, આંબરડી,કરશનગઢ, રામપરા અને નાડધ્રી ગામને હળવદ તાલુકામાં સમાવેશ કરવા તાલુકા પંચાયત દ્વારા વિધિવત કાર્યવાહી કરી જિલ્લા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપવામાં આવી છે જે મંજુર થયેથી સરકારમાં મોકલાશે અને બાદમાં ગેજેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
