Homeગુર્જર નગરીકચ્છના નખત્રાણા પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતાં એક જ પરિવારના ચાર...

કચ્છના નખત્રાણા પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતાં એક જ પરિવારના ચાર લોકોના મોત

Team Chabuk-Gujarat Desk: કચ્છના નખત્રાણા પાસે મોડી રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા છે. નખત્રાણાના દેવપર પાસે આ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે નખત્રાણાના દેવપર અને ધાવડા ગામની વચ્ચે રોડ પર ઉભેલા ટ્રકની પાછળ કાર ઘુસી જતાં એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા છે.

કારમાં કુલ છ લોકો સવાર હતા. કાર નખત્રાણાથી માંડવી તરફ જઈ રહી હતી તે દરમિયાન દેવપર અને ધાવડા ગામની વચ્ચે રોડ પર ઉભેલા ટ્રકની પાછળ કાર ઘુસી ગઈ હતી. જેમાં છ લોકોમાંથી ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે બે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં બે મહિલા, એક પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર નખત્રાણાના મણીનગરનો ગોસ્વામી પરિવાર હોવાનું જાણવા મળ્યું છે.

ગોસ્વામી પરિવાર હોસ્પિટલના કામથી નખત્રાણાથી માંડવી જવા નીકળ્યો હતો. તે દરમિયાન રસ્તામાં જ પરિવારના ચાર લોકોને કાળ ભરખી ગયો હતો. રોડ પર ઉભેલા ટ્રકની પાછળ કાર ઘુસી જતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments