Homeગુર્જર નગરીદહેજની કંપનીમાં કેમિકલ રિએક્શનથી વિસ્ફોટ થતાં પાંચ કામદારના મોત

દહેજની કંપનીમાં કેમિકલ રિએક્શનથી વિસ્ફોટ થતાં પાંચ કામદારના મોત

Team Chabuk-Gujarat Desk: દહેજની ઓમ ઓર્ગેનિક નામની કંપનીના પ્લાન્ટમાં રવિવારે મોડી રાતે બ્લાસ્ટ થતાં વિકરાળ આગ લાગી હતી. આ પ્લાન્ટમાં કેમિકલ રિએક્શનથી વિસ્ફોટ થતા પાંચ કામદારોના મોત નીપજ્યા છે. જ્યારે એક કામદાર હજુ ગુમ છે. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ વિકરાળ આગ લાગી હતી. હાલ ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે.

રાસાયણિક પ્રક્રિયાને લીધે વિસ્ફોટ

આ અંગે મળેલી માહિતી પ્રમાણે, દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી.તે દરમિયાન રવિવારે રાતે અચાનક વિસ્ફોટ થતા આગ લાગી હતી. જેના કારણે ધડાકાભેર વિસ્ફોટ થયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂરદૂરથી ઉડતા જોવા મળ્યા હતા.

shreeji dhosa

આગને કારણે બધુ જ બળીને ખાખ થઈ ગયું છે.. ભીષણ આગને પગલે ફાયરબ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. આ વિકરાળ આગમાં પાંચ લોકો દાઝી જતાં મોતને ભેટ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ગુમ છે. જેની શોધખોળ ચાલી રહી છે. કંપનીમાં ફાયર સેફ્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.. આ વિકરાળ આગમાં પાંચ કામદારોના મોત નીપજતા પરિવાર અને અન્ય કામદોરોમાં દુખની લાગણી ફેલાઇ ગઇ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments