Team Chabuk-Gujarat Desk: ઉનાળાની ધોમધખતી ગરમીમાં જ્યારે માણસો પણ ઘરની બહાર નીકળવાનું ટાળે છે, ત્યારે અબોલ પશુ-પક્ષીઓ પાણી અને છાંયડા માટે વલખાં મારતા હોય છે. આ મૂંગા જીવોની તરસ છીપાવવા માટે રાજકોટમાં એક ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ (એનીમલ હેલ્પલાઇન – રાજકોટ) અને અર્હમ યુવા સેવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે તથા રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજના આશીર્વાદથી પક્ષીઓનાં માળા, પીવાનાં પાણીના કુંડા (રામપાતર) અને ગાયો માટે પાણી પીવાની મોટી કુંડીઓનું વિનામૂલ્યે વિતરણ થઈ રહ્યું છે.
રાજકોટના જીવદયા પ્રેમીઓ માટે આ એક ઉત્તમ તક છે, જ્યાં તેઓ પોતાના ઘર આંગણે કે સોસાયટીમાં કુંડા અને માળા રાખીને પુણ્યનું ભાથું બાંધી શકે છે.
આ સેવા યજ્ઞની મુખ્ય બાબતો
- સતત 8 વર્ષથી સેવા: અબોલ જીવોની સેવા માટે આ સંસ્થાઓ દ્વારા છેલ્લા 8 વર્ષથી બારેમાસ આ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે.
- કુંડીની વિશેષતા: ગાયો અને અન્ય પશુઓ માટે સિમેન્ટની મોટી કુંડી (આશરે 1.9 ફૂટ x 0.7 ફૂટ, વજન 20 કિલો) આપવામાં આવશે.
- નિયમો: આ કુંડીઓ ‘વહેલા તે પહેલા’ ના ધોરણે, વ્યક્તિ દીઠ એક જ આપવામાં આવશે. જીવદયા પ્રેમીઓએ આ કુંડી પોતાના વાહનમાં જાતે જ લઈ જવાની રહેશે. દરરોજ કુંડી સાફ કરી, તેમાં ચોખ્ખું પાણી ભરવાની શરતે આ કુંડી આપવામાં આવે છે.
વિતરણ સ્થળ અને સમયપત્રક (જાણો ક્યાંથી મળશે?):
રાજકોટના વિવિધ વિસ્તારોના લોકોને લાભ મળે તે માટે અલગ-અલગ દિવસે અલગ-અલગ વિસ્તારોમાં દરરોજ સવારે 7:15 થી 8:30 કલાક સુધી વિતરણ કરવામાં આવશે.
- 15 માર્ચ (રવિવાર): નાગેશ્વર પાર્શ્વનાથ મંદિર
- 16 માર્ચ (સોમવાર): ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ
- 17 માર્ચ (મંગળવાર): મવડી ચોક, 150 ફૂટ રિંગ રોડ
- 18 માર્ચ (બુધવાર): મોકાજી સર્કલ, સયાજી હોટલ પાસે
- 19 માર્ચ (ગુરુવાર): મણિયાર દેરાસર
- 20 માર્ચ (શુક્રવાર): રેસકોર્સ, ક્રિકેટ સ્ટેડિયમ ગેટ પાસે
- 21 માર્ચ (શનિવાર): બાલાજી મંદિર, ભૂપેન્દ્ર રોડ
- 22 માર્ચ (રવિવાર): સ્પીડવેલ પાર્ટી પ્લોટ, હવેલી પાસે
- 23 માર્ચ (સોમવાર): કોટેચા ચોક, પૂ.ઈન્દુબાઈ મહાસતીજી ચોક
- 24 માર્ચ (મંગળવાર): આશાપુરા મંદિર, પેલેસ રોડ
- 25 માર્ચ (બુધવાર): કોઠારિયા સોલવેન્ટ, રણુજા મંદિર
- 26 માર્ચ (ગુરુવાર): પૂ.રણછોડદાસજી બાપુ આશ્રમ, કુવાડવા રોડ
- 27 એપ્રિલ (શુક્રવાર): આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ
- 28 એપ્રિલ (શનિવાર): હનુમાનજી મંદિર, કાલાવડ રોડ (પ્રેમમંદિર પાસે)
- 29 એપ્રિલ (રવિવાર): જલગંગા ચોક, સંતકબીર રોડ
- 30 એપ્રિલ (સોમવાર): મહાવીર સ્વામી ચોક, એસ્ટ્રોન ચોક
- 31 એપ્રિલ (મંગળવાર): પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, આલાપ ગ્રીન સિટી
આખી ટીમ ઉઠાવી રહી છે ભારે જહેમત
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા અને અબોલ જીવો સુધી રાહત પહોંચાડવા માટે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટના મિતલ ખેતાણી (98242 21999) અને પ્રતિક સંઘાણી (99980 30393) તેમજ અર્હમ યુવા સેવા ગ્રુપના હિમાંશુભાઈ શાહ, તુષારભાઈ મહેતા, શેતુર દેસાઇ, રાજેશ્રીદીદી બદાણી, સૌમીલભાઈ મહેતા, તપનભાઈ શાહ, પારસભાઈ ગાઠાણી, અલ્કાદીદી કામદાર, બીરેનભાઈ બાવીશી અને મનોજભાઈ પડિયા સહિતના કાર્યકરોની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. જો તમે પણ જીવદયાના આ કાર્યમાં સહભાગી થવા માંગતા હોવ, તો આપેલા સમય અને સ્થળ પર પહોંચીને લાભ લઈ શકો છો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત