Homeગુર્જર નગરીજૂનાગઢ જિલ્લામાં ફળ અને શાકભાજીનું વેચાણ કરતા લારીવાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળશે

જૂનાગઢ જિલ્લામાં ફળ અને શાકભાજીનું વેચાણ કરતા લારીવાળા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળશે

Team Chabuk-Gujarat Desk: બાગાયત વિભાગ દ્વારા ખેડૂતો તેમજ શાકભાજીનું વેચાણ કરતા લારીવાળા ફેરીયાઓ માટે સરકારશ્રી વિવિધ યોજનાઓ અન્વયે સહાય આપવામાં આવે છે.

જૂનાગઢ જિલ્લામાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ તથા ગ્રામ્ય કક્ષાએ ફળ, શાકભાજી તથા નાશવંત કૃષિ પાકોનું સાઇડ હાટ બજારમાં વેચાણ કરતા લારીવાળા ફેરિયાઓને વિનામૂલ્યે છત્રી આપવાની સહાય યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.

છત્રી મેળવવા માગતા અરજદારોએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ લઇ સહી કરી આધારકાર્ડ, રાશનકાર્ડ તથા ગ્રામ સેવકનો દાખલો જોડી જુનાગઢ નાયબ બાગાયત નિયામક કચેરીએ રજૂ કરવાની રહેશે.

આ યોજનાનો લાભ મેળવવા માંગતા અરજદારો માટે સરકારશ્રી દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર તા.૧૫ જુલાઇ સુધી ખુલ્લુ મૂકવામાં આવેલ છે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચરી, લધુ કૃષિ ભવન, નવી મામલતદાર ઓફિસની બાજુમાં, જૂનાગઢ ખાતે સંપર્ક કરવો અથવા ફોન નંબર-૦૨૮૫-૨૬૩૫૦૧૯ પર સંપર્ક કરવાનો રેહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments