Homeગુર્જર નગરીનર્મદા પોઈચા દુર્ઘટનાઃ સુરતમાં રહેતા એક પરિવારના ચાર સભ્યોની એક સાથે અર્થી...

નર્મદા પોઈચા દુર્ઘટનાઃ સુરતમાં રહેતા એક પરિવારના ચાર સભ્યોની એક સાથે અર્થી નીકળી, લોકો હીબકે ચઢ્યા

Team Chabuk-Gujarat Desk: સુરતની એક જ સોસાયટીમાં રહેતા પ્રવાસીઓ પોઇચા ખાતે નર્મદા નદીમાં ન્હાવા પડતાં પાણીમાં ગરકાવ થયા હતા. કુલ 8 પ્રવાસીમાં ત્રણ નાનાં બાળકો હતાં. સ્થાનિકો દ્વારા એકને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે 7 લોકો પાણીમાં ડૂબી ગયા.

તબક્કાવાર તેમના મૃતદેહો મળ્યા હતા. બુધવારે એક જ દિવસમાં પિતા સાથે બે પુત્રો, ભત્રીજા સહિત ચારના મૃતદેહો મળી આવ્યા હતા. જ્યારે 7 વર્ષનો આર્યન હજુ પણ લાપત્તા છે. જ્યારે એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ ગત રાત્રે ઘરે લાવવામાં આવ્યા હતા. એક સાથે ચાર-ચાર અર્થી નીકળતા પરિવાર સહિત આખુ ગામ હિબકે ચઢ્યું હતું.

મૂળ અમરેલીના અને સુરત ખાતે આવેલા સાણિયા હેમાદ ગામ ખાતે આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા 18 જેટલા વ્યક્તિ ગત મંગળવારનાં રોજ પોઇચા નર્મદા નદીમાં ન્હાવા માટે ગયા હતા. જેમાં 7 જેટલા લોકો નર્મદા નદીના પાણીમાં ડૂબી ગયા હતા અને એકનો બચાવ થયો હતો. 72 કલાક થયા છતાં હજુ ડૂબેલા તમામ સભ્યોમાંથી 6ના મૃતદેહ મળ્યા છે. જ્યારે 7 વર્ષનો આર્યન હજુ પણ લાપત્તા છે. જેની શોધખોળ ચાલુ છે.

અત્યાર સુધીમાં ભાવેશ વલ્લભભાઈ હડિયા (ઉં.15), ભાર્ગવ અશોકભાઈ હડિયા (ઉં.15), વ્રજ હિંમતભાઈ બલદાણિયા, ભરતભાઈ બલદાણિયા (ઉં.15), આરનવ ભરતભાઈ બલદાણિયા (ઉં.12), ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા (ઉં.45)ના મૃતદેહો મળી આવ્યા છે. ગુરૂવારે એક જ દિવસમાં બે પુત્રો સાથે પિતાનો મૃતદેહ મળ્યો હતો.

છેલ્લા ત્રણ દિવસથી એનડીઆરએફ અને રાજપીપળા નગરપાલિકા, ભરૂચ, વડોદરાની ફાયર ટીમો દ્વારા શોધખોળ કરવામાં આવી છે. NDRFના ઇન્સ્પેક્ટર આશુતોષ શ્રીમાલીએ જણાવ્યું હતું કે, અમે અત્યારસુધી 6 મૃતદેહને શોધી, કેમ્પ ઉપર લાવ્યા છીએ. અમે પોઇચા પુલ સુધી તપાસ કરી રહ્યા છીએ. ડિપ કેમેરા લગાવી તપાસ કરવામાં આવી રહી છે.

Narmada

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments