Team Chabuk-Gujarat Desk: મોરબીમાં મોટી કરુણાંતિકા સર્જાઈ છે. મોરબીના મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસે નીચાણવાળા વિસ્તારમાં નદીમાં ન્હાવા પડેલા 3 બાળકો ડૂબી ગયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
મચ્છુ-2 ડેમના પાટીયાના રિપેરિંગ કામ માટે હાલ ડેમ ખાલી કરવાની કામગીરી ચાલી રહી છે. ગત તારીખ 12 મેના રોજ મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્રએ નીચાણવાળા વિસ્તારમાં નદીના પટમાં અવર જવર ન કરવા પણ સૂચના આપી હતી. તેમ છતાં આજે સાદુળકા પાસે નીચાણવાળા વિસ્તારમાં નદીના પટમાં સાત જેટલા બાળકો ન્હાવા માટે ગયા હતાં. જ્યાં ત્રણ બાળકો ડૂબી ગયા છે. મળતી માહિતી પ્રમાણે તમામ બાળકો ઘરેથી સ્વિમિંગ પુલમાં ન્હાવા જવાનું કહીને નીકળ્યા હતા.

આ અંગે ફાયર વિભાગના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, મચ્છુ-2 ડેમ પાસે નદીમાં આજુબાજુના વિસ્તારના અંદાજે 16 વર્ષની ઉમરના 3 બાળકો ડૂબી ગયાની પ્રાથમિક માહિતી મળી છે. જેમને શોધવા માટે ફાયરની ટીમ કામે લાગી છે. જ્યારે અન્ય મળતી વિગત મુજબ સૌપ્રથમ એક યુવાન ડૂબ્યા બાદ તેને બચાવવા જતા બે સગીરો પણ ડૂબ્યા હતા. જ્યારે અન્ય ચાર બાળકો બહાર ઉભા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી પ્રાથમિક વિગતો મુજબ 20 વર્ષીય પરમાર ચિરાગ, 16 વર્ષીય ભાંખોડીયા ધર્મેશ અને 17 વર્ષીય ભાંખોડિયા ગૌરવ નામના યુવાનો પાણીમાં ડૂબ્યા છે અને ભાંખોડીયા આર્યન, ભાંખોડીયા જય, ભાંખોડીયા પ્રિતમ અને બાઈચીયા જૈમિન નામના ચાર યુવાનો બચી ગયાનું જાણવા મળી રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત