Team Chabuk-Gujarat Desk: વેરાવળના કાજલી માર્કેટીંગ યાર્ડમાં ગ્રામ્ય વિસ્તારમાંથી ખેત પેદાશાનું વેચાણ કરવા માટે ખેડૂતોને ભોજન માટે ખૂબ મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. જેને નિવારવા કાજલી એ.પી.એમ.સી. દ્વારા ખેડૂતો માટે ભોજન વ્યવસ્થા માટે સહકાર ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રૂ. ૯૦ના દરે શુદ્ધ-સાત્વિક ગુજરાતી ભોજન ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જિલ્લા કલેકટર રાજદેવ સિંહ ગોહિલ અને કાજલી એ.પી.એમ. સી.ના ચેરમેન ગોવિંદભાઈ પરમાર દ્વારા આ સહકાર ભોજનાલયનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ભોજનાલયમાં સારી બેઠક વ્યવસ્થા સાથે ગુણવત્તા યુક્ત ભોજન ખેડૂતોને મળી રહેશે.

માર્કેટિંગ યાર્ડ દ્વારા શરૂ કરાયેલ આ ભોજનાલયમાં ૯૦ રૂપિયામાં અનલિમિટેડ ભોજન મળશે. જેમાં ત્રણ પ્રકારના શાક અને બુધવારે ખેડૂતોને મીઠાઈ પણ પીરસવામાં આવશે. ત્યારે આ ભોજનાલયનો લાભ માત્ર ખેડૂતો જ નહીં પરંતુ શ્રમિકો વેપારીઓ અને સોમનાથ આવતા ભાવિકો પણ સહકાર ભોજનાલયમાં લાભ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે, આ ભોજનાલય નહિ નફા, નહિ નુકસાનના ધોરણે ચલાવામાં આવશે.

આ તકે યાર્ડના ડિરેક્ટર પરેશભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
