Homeગુર્જર નગરીગીર સોમનાથ: ઊનાના ડમાસાના આર્મી જવાન લાલજી બાંભણિયા શહીદ, સંપૂર્ણ સન્માન સાથે...

ગીર સોમનાથ: ઊનાના ડમાસાના આર્મી જવાન લાલજી બાંભણિયા શહીદ, સંપૂર્ણ સન્માન સાથે થશે અંતિમવિધી

Team Chabuk-Gujarat Desk: ગીર સોનાથ જિલ્લાના ઊના તાલુકાના ડમાસા ગામના જવાને તિરંગાની ચાદર ઓઢી લીધી છે ! અરૂણાચલ પ્રદેશમાં મરાઠા રેજિમેન્ટમાં પોતાની ફરજ દરમિયાન લાલજી બાંભણિયા નામના જવાન શહીદ થયા છે. શહીદ થયાના સમાચાર મળતા જ લાલજી બાંભણિયાના પરિવાર પર આભ તૂટી પડયું છે. તો સમગ્ર ઉના પંથકમાં પણ ગમગીન છવાઈ છે.

23 નવેમ્બરે (આવતીકાલે) સંપૂર્ણ સન્માન સાથે તેમની અંતિમયાત્રા નિકળશે. સોશિયલ મીડિયા પર મિત્ર, સ્વજન સહિતના હજારો લોકોએ વીરગતિ પામનારા જવાન લાલજી બાંભણિયાને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

તેમની અંતિમયાત્રા સવારના 11 વાગ્યાથી ડમાસા- કેસરિયા- શાહડેસર -ઉના -મહોદેશ્વરના માર્ગ પરથી પસાર થશે. શહીદ જવાનને અંતિમ વિદાય આપવા NCC કેટેડ્સ, આર્મી ગૃપ ઉના, હિન્દુ સંગઠન ઉના, ગૌરક્ષક દળ સહિત મોટી સંખ્યામાં હાજર રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments