Homeગુર્જર નગરીરેશન કાર્ડધારકો માટે ખુશખબર, ખાદ્ય પદાર્થોની વ્યવસ્થામાં ફેરફાર

રેશન કાર્ડધારકો માટે ખુશખબર, ખાદ્ય પદાર્થોની વ્યવસ્થામાં ફેરફાર

Team Chaubuk-Special Desk: સરકાર દર મહિને ગરીબ લોકોને મફત અનાજ વિતરિત કરે છે. આ માટે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવું અને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે. આ માટે તમે કોઈપણ નજીકના અનાજ વિતરણ કેન્દ્ર પર જઈને ઈ કેવાયસી કરાવી શકો છો. હવે અનાજની માત્રાઆજથી સરકાર રેશન કાર્ડથી મળતા ખાદ્ય પદાર્થોની વ્યવસ્થામાં કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે.

અત્યાર સુધી રેશનની દુકાન પર અનાજ સરખી માત્રામાં ન મળતા ગ અલગ માત્રામાં મળતું હતું. પરંતુ હવે સરકાર આજથી નવી વ્યવસ્થા લાવવા જઈ રહી છે, જેના કારણે પહેલા મળતા 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉંને બદલે હવે અઢી કિલો ઘઉં અને અઢી કિલો ચોખા મળશે.

ઘઉંની માત્રા વધારીને ચોખાની માત્રા ઘટાડી
પહેલા અંત્યોદય કાર્ડમાં 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા મળતા હતા. પરંતુ હવે સરકાર તેના બદલે 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં આપવા જઈ રહી છે. ત્યારે સ્પષ્ટ છે કે સરકારે ચોખાની માત્રા ઘટાડીને ઘઉંની માત્રા વધારી દીધી છે. તેમજ રેશનની બંને યોજનાઓમાં સરકારે ચોખાની માત્રા ઘટાડીને ઘઉંની માત્રા વધારી દીધી છે. રેશનની દુકાનદારો અનુસાર સરકારે નવી વ્યવસ્થા અંગે આદેશો જારી કરી દીધા છે, જે આજથી લાગુ કરવાના છે.

નવેમ્બર મહિનામાં જ્યારે પણ રેશન વહેંચવામાં આવશે ત્યારે નવી વ્યવસ્થા હેઠળ જ વહેંચવામાં આવશે, જેનાથી રેશન કાર્ડધારકોને રાહત મળશે. તેમજ સરકાર બધી સસ્તા અનાજની દુકાનો પર નિ:શુલ્ક રેશન વિતરણ કરે છે. ત્યાં બધા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે વધુમાં વધુ સંખ્યામાં પહોંચીને ઈ કેવાયસી કરાવે અને મફત રેશનનો લાભ લે.

આ ઉપરાંત થોડા મહિના પહેલા, સરકારે રેશન કાર્ડ ધારકો માટે ઇ-કેવાયસી કરાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં તમામ રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આ માટેની છેલ્લી તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. તેમજ સરકારે અગાઉ આ માટે 1લી સપ્ટેમ્બર સુધીની સમયમર્યાદા નક્કી કરી હતી. પરંતુ બાદમાં તેને વધારીને 1 નવેમ્બર કરવામાં આવી હતી. અને હવે રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની અંતિમ તારીખ 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

Ration Card (2)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments