ગુજરાતમાં હજુ સ્કૂલ ખુલવાની કોઈ ચોક્કસ તારીખ નક્કી નથી કરાઈ. શક્યતા છે કે નવેમ્બરમાં બાળકો માટે સ્કૂલના દરવાજા ફરી ખુલે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપેલા SOPના આધારે રાજ્ય સરકારે એક SOP ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં ખૂબ જ ઓછો સમય પસાર કરવા પર ભાર મુકાયો છે. એટલે કે બાળકોનો મોટાભાગનો અભ્યાસ હજુ પણ ઘરેથી જ થવાની સંભાવના છે.
રાજ્ય સરકારે 23મી નવેમ્બરથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે તબક્કાવાર શાળાઓ ખોલવા માટેની શક્યતાઓ પર ચર્ચા કરી છે. રાજ્ય સરકારના SOP મુજબ, શાળા કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં કરી શકે. આ ઉપરાંત શરૂઆતના બે-ત્રણ અઠવાડિયામાં
રાજ્ય સરકારે જાહેર કરેલી SOPમાં એ પણ ઉલ્લેખ છે કે, હજુ વિદ્યાર્થીઓનો ઓનલાઈન અભ્યાસ ચાલુ રહેશે. ઓનલાઈન અભ્યાસને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. વિદ્યાર્થીઓના સ્કૂલમાં રહેવાના કલાકો ખુબ ઓછા હશે.
શરૂઆતમાં માત્ર પ્રેક્ટીકલ અભ્યાસ માટે જ વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવાય તેવી શક્યતા છે. થિયરી ઓનલાઈન કરાવાશે. જ્યારે વિદ્યાર્થીઓ પ્રેક્ટીકલ માટે આવે ત્યારે તેમને મુંઝવતા સવાલો પૂછી શકે છે. SOPમાં એવો ઉલ્લેખ છે કે, સ્કૂલોએ બાળકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે તેના પર ધ્યાન આપવું જોઈએ. અભ્યાસ ઉપરાંત ઈતરપ્રવૃતિમાં પણ બાળકોને પ્રોત્સાહન આપવું જોઈએ.
કોરોના વાયરસના કારણે બાળકોનો અભ્યાસ પર અસર થઈ છે. 6 મહિના કરતા વધુ સમયથી સ્કૂલ બંધ છે. લોકડાઉન બાદ હવે તબક્કાવાર બધુ અનલોક થઈ રહ્યું છે. મોટા ભાગના વ્યવહારો રાબેતા મુજબ ચાલવા લાગ્યા છે. જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. લોકો કોરોના સાથે જીવતા શીખી રહ્યા છે.
હવે લોકોમાં પહેલાં જેટલો ડર નથી પરંતું સાવચેતી હજુ રાખવી જરૂરી છે. નાના-બાળકો અને ઉંમરલાયક વ્યક્તિઓની ખાસ કાળજી રાખવી આપણી જ જવાબદારી છે. હવે સ્કૂલ ખુલવાની ચર્ચા થઈ રહી છે ત્યારે વધુ સતર્ક રહેવાની જરૂર છે. કેન્દ્ર સરકારે અનલોકની છેલ્લી ગાઈડલાઈન્સમાં સ્કૂલોને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે ફરીથી ખોલવાની છૂટ આપી હતી. પરંતુ ગુજરાતમાં હજુ સ્કૂલ ખોલવાની મંજૂરી અપાઈ નથી. જો કે, હવે દિવાળી પછી સ્કૂલો શરૂ થઈ જશે તેવી શક્યતા છે. કેટલાક રાજ્યોમાં સ્કૂલ શરૂ કરી દેવાઈ છે. નિયમો સાથે શાળાઓનું કાર્ય વ્યવસ્થિત ચાલી રહ્યું છે.