Homeગુર્જર નગરીમહેસૂલ મેળો: ઘર આંગણે મળશે આટલી સેવાઓ, મામલતદાર ઓફિસે ધક્કો નહી ખાવો...

મહેસૂલ મેળો: ઘર આંગણે મળશે આટલી સેવાઓ, મામલતદાર ઓફિસે ધક્કો નહી ખાવો પડે

Team Chabuk-Gujarat Desk: રાજ્યના નાગરિકોને ઘર આંગણે મહેસૂલી સેવાઓ મળી રહે તે માટે મહેસૂલી મેળાઓ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહેસૂલી સેવાઓના લાભો સત્વરે મળી રહે તેમજ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ થાય તે માટે મહેસૂલ વિભાગે નવતર અભિગમ હાથ ધર્યો છે. જેના ભાગરૂપે આગામી સમયમાં રાજ્યભરમાં જિલ્લા મથકોએ ‘મહેસૂલ મેળા’ યોજવામાં આવશે.

મહેસૂલી મેળામાં શુ હશે?

મહેસૂલી સેવાઓ તેમજ પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ માટે નવસારી જિલ્લામાંથી મહેસૂલ મેળાનો રાજ્યવ્યાપી નવસારી થઈ શુભારંભ કરવામાં આવ્યો છે. મહેસૂલ મેળામાં જિલ્લા કક્ષાના આઠ અલગ અલગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. કોવિડની ગાઇડલાઇનને ધ્યાને રાખીને યોજાનાર મેળામાં નામ કમી કરવુ, નવું ઉમેરવું, સર્વે, નવી એન્ટ્રી તેમજ રિ-સર્વે સહિતના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમાં જરૂર પડ્યે વિભાગનું માર્ગદર્શન પણ લેવામાં આવશે.

ગુજરાત સરકારના પ્રવક્તા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કેબિનેટ બેઠક બાદ પત્રકારોને જણાવ્યુ હતુ કે, આ મહેસૂલ મેળા સતત ચાલતી પ્રક્રિયા હોવાથી આવનારા સમયમાં એક દિવસમાં બે જિલ્લામાં મહેસૂલી મેળાનું આયોજન હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત મહેસૂલ કચેરીની ઓચિંતી મુલાકાત લેવાનું ચાલુ રહેશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments