Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં વધુ એક સગીરે જીવન ટૂંકાવી લીધુ. મળતી માહિતી મુજબ આત્મહત્યા કરનારો સગીર પોલીસનો પુત્ર હતો. રાણીપ પોલીસે આ મુદ્દે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદનાં રાણીપ વિસ્તારની આ ઘટના છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, સગીરને પ્રેમિકા બાબતે ઠપકો આપતા તેણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતું. સગીરના પિતાએ અભ્યાસ પર ધ્યાન આપવાનું કહી પ્રેમમાં પડવા મનાઈ કરતા જ્યારે પરિવાર બહાર ફરવા ગયો ત્યારે સગીર પુત્રએ ગળેફાંસો ખાધો હતો.
અમદાવાદનાં રાણીપ વિસ્તારમાં આવેલા ગાંધી આશ્રમ નજીક આવેલ કેવલ નિવાસમાં આ ઘટના બની હતી. સોમવારે બપોરનાં સમયે અમદાવાદનાં રાણીપ પોલીસ સ્ટેશનમાં એક કોલ આવ્યો હતો કે કોઈ નીલ પાટીલ નામના સગીરે ગળે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી છે. આ મેસેજ મળતાની સાથે કેવલ નિવાસે પોલીસ પહોંચી ગઈ અને પ્રાથમિક તપાસ શરુ કરી હતી. જેમાં માતા-પિતાની ગેરહાજરીમાં નિલ પાટીલ નામના સગીરે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ હતું.
પોલીસે ઘટના સ્થળ પહોંચી FSLને જાણ કરી નીલ પાટીલનો મૃતદેહ નીચે ઉતારી પ્રાથમિક તપાસ શરુ કરી હતી, તો જાણવા મળ્યું હતું કે મૃતક સગીર નીલ પાટીલનાં માતા-પિતા ઉત્તરાખંડ ફરવા માટે ગયા હતા. ત્યારે જ રાણીપ પોલીસનાં ઇન્વેસ્ટિગેશન ટીમે ટેલિફોનિક વાત કરી હતી ત્યારે માતા-પિતા એ જણાવ્યું હતું કે દીકરો નીલ પાટીલ એ ડિપ્લોમામાં અભ્યાસ કરતો હતો અને સાથે જ અભ્યાસ કરતી એક સગીરા સાથે પ્રેમમાં હતો
જેને લઇને પિતાએ થોડા દિવસો અગાઉ જણાવ્યું હતું કે હાલ આ સમય અભ્યાસ કરવાનો છે પ્રેમ કરવાનો નહી અને બસ આ જ વાત દીકરા નીલ પાટીલને લાગી આવી હતી જેને લઇને તેણે મોતને પસંદ કર્યું હોવાનું રાણીપ PI જે બી ખાંભલાએ જણાવ્યું છે.
પોલીસનું કહેવું છે કે હાલ પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સગીર મૃતકના પિતા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ત્યારે પોલીસે તપાસ શરુ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત