Homeગુર્જર નગરીLaxman Barot: જાણીતા ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન, ભજન રસિકોમાં શોકનો માહોલ

Laxman Barot: જાણીતા ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન, ભજન રસિકોમાં શોકનો માહોલ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના જાણીતા ભજનીક લક્ષ્મણ બારોટનું (Laxman Barot) નિધન થયું છે. આજે વહેલી સવારે લક્ષ્મણ બારોટે અંતિમ શ્વાસ લીધા છે. લક્ષ્મણ બારોટના આકસ્મિક નિધનથી ભજન રસિકોમાં શોક વ્યાપી ગયો છે. ભજનની દુનિયામાં લક્ષ્મણ બારોટનું નામ ખૂબ જ જાણીતું હતું. તેઓ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ભજન માટે જાણીતા હતા. ભજનીક નારાયણ સ્વામી તેમના ગુરૂ હતા. આજે સવારે 5 વાગ્યે લક્ષ્મણ બારોટે જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધા છે. 

laxman barot death

લોકગાયક લક્ષ્મણ બારોટનું નિધન થતા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા તેઓના આશ્રમમાં ગમગીનીનો માહોલ છવાયો છે. ઝઘડિયાના કૃષ્ણપુરી ગામ ખાતે લક્ષ્મણ બાપુનો આશ્રમ છે. તેઓએ શ્રી શક્તિ ભજન પીઠાશ્રમના નામથી આદિવાસી વિસ્તારમાં પોતાનો આશ્રમ બનાવ્યો હતો. લક્ષ્મણ બાપુ ઘણીવાર આ આશ્રમની મુલાકાત લેતા હતા. કૃષ્ણપુરી ગામમાં તેમના દ્વારા નિયમિત ડાયરા અને ભજનના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હતા. લક્ષ્મણ બારોટે પોતાના જીવનકાળ દરમિયાન જાહેર મંચો પરથી ડાયરામાં અનેક ભજનો ગાઈને શ્રોતાઓનો મંત્રમુગ્ધ કર્યા છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments