Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. એવા સમયે જિલ્લાના ઊના શહેરમાં ટ્રાફીકથી ધમધમતા વિસ્તારમાં આખલાના યુદ્ધે લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. આખલાઓની લડાઈથી વાહનો થંભી ગયા. તો લોકોમાં પણ નાસભાગ મચી ગઈ.
ઊના શહેરમાં ઢોરોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઊનાના ટ્રાફીકથી ધમધમતા ટાવર ચોકથી શાકભાજી માર્કેટ રોડ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ છેડાયું હતું. અચાનક જ બંન્ને વચ્ચે લડાઈ શરૂ છતાં દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ શાકમાર્કેટમાં હાજર લારી વાળાઓ આખલાઓને છોડાવવાનો પ્રયત્ન પણ કર્યો. જો કે, બે બળિયાઓને છોડાવવાનો તેમનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
અંતે આખલાના આ દ્વંધ યુદ્ધમાં અડફેટે આવેલા ત્રણથી ચાર વાહનોને નુકસાન થયું હતું. તો માર્કેટમાં રહેલી બે જેટલી ફ્રૂટ્સની લારીઓને પણ નુકસાન થયું હતું. ફ્રૂટ વેરવિખેર થતાં વેપારીને પણ નુકસાન થયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ વ્યક્તિ અડફેટે ન આવ્યો જેના કારણે જાનહાનિ ટળી હતી. જો કે, આખલા યુદ્ધના કારણે થોડીવાર માટે વાહનોના પૈડાં થંભી ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત