Team Chabuk-Gujarat Desk: આજે જૂનાગઢ સંત કાશ્મીરી બાપુ હવે આપણી વચ્ચે નથી રહ્યા. જો કે, તેમની યાદો હંમેશા લોકોના દીલમાં રહેશે. સંત કાશ્મીરી બાપુના અવસાનથી ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપ ગઈ છે.
સંત કાશ્મીરી બાપુનું અવસાન થયું છે. તેઓએ પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું અને સિદ્ધહસ્ત તરીકે પૂજનીય ગણાતા હતા. કાશ્મીરી બાપુએ 97 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા જ ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. 5-6 દિવસ પહેલાં તેઓ પોતાના આશ્રમ પરત ફર્યા હતા. આજે તેમનો દેહવિલય થતા ગિરનારના સાધુ સંતો અને ભાવિકોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સેવકો તરફથી મળતી માહિતી મુજબ કાશ્મીરી બાપુનો પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. આવતીકાલે બાપુના દેહને સમાધિ આપવામાં આવશે.

કાશ્મીરી બાપુનું મૂળ નામ ઓમકારગીરી ગુરુ નિરંજનદેવ હતું. દાતારની જગ્યાએ પૂજ્ય પટેલ બાપાના સમયમાં ત્યાંથી જંગલના રસ્તે દાતાર ખુબ જ જતા હતા. યુવાનીમાં દત્ત શિખર પર દર્શનનો ક્રમ હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત