Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં 29 વર્ષીય પુત્રવધુનું અવસાન થતા પરિવારે તેની આંખોનું દાન કર્યું છે. આંખોના દાનથી 2 વ્યક્તિને રોશની મળશે. મળતી વિગત મુજબ જૂનાગઢના શ્રીનાથભાઇ સોલંકીના 29 વર્ષિય પત્ની મોનીકાબેન ગર્ભવતી હતા. તેમને નવમો મહિનો ચાલી રહ્યો હતો. જો કે, ડિલેવરી સમયે જ તેમને હ્રદય રોગનો હુમલો આવ્યો અને તેમનું મોત થયું.
બીજી તરફ ગર્ભસ્થ બાળક જીવિત હોવાનું જણાતા સિઝેરીયન કરી નવજાતને બહાર કઢાયું. પરંતુ કમનસીબે નવજાત બાળકીને ઇન્ફેશન લાગતા તેનું પણ મોત થયું. આમ, માતા અને બાળકી બંન્નેનું મોત થતા સોલંકી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આટલી દુઃખદ ઘડીમાં પણ સોલંકી પરિવારે મોનિકાબેનના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો. બાદમાં જૂનાગઢના પંજૂરી આઇ કલકેશન સેન્ટર દ્વારા 114મું ચક્ષુદાન ડો. સુરેશભાઇ ઉંજીયા અને એડવોકેટ ગિરીશભાઇ મશરૂ દ્વારા સ્વિકારવામાં આવ્યું હતું.
મોનિકાબેનના ચક્ષુ સકીલભાઇ હાલેપોત્રા દ્વારા રાજકોટ મેડિકલ કોલેજમાં પહોંચાડાયા. હવે મોનિકાબેનની આંખોથી 2 વ્યક્તિનું જીવન બદલાશે. બે વ્યક્તિને રોશની મળતા તેમનો અંધાપો દૂર થશે. ચક્ષુદાન કર્યા બાદમાં સોલંકી પરિવારે માતા અને પુત્રીને અંતિમ વિદાય આપી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
