Team Chabuk-Gujarat Desk: દ્વારકામાં થયેલી વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં પોલીસે વૃદ્ધની હત્યાના આરોપમાં એક દંપતીની ધરપકડ કરી છે. પોલીસની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, વૃદ્ધને આરોપી મહિલાએ શારીરિક સંબંધની લાલચ આપી કચ્છથી દ્વારકા બોલાવ્યા હતા. જ્યાં આરોપી મહિલાનો પતિ આવી જતાં બોલાચાલી બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.
આરોપ છે કે, હત્યા બાદ વૃદ્ધના ખિસ્સામાંથી 1 હજાર રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન પણ લૂંટી લેવાયા હતા. પોતાનો ગુનો છુપાવવા મૃતદેહને સળગાવી દઈ ફરાર થઈ ગયા હતા. જો કે, બનાવની જાણ થતાં જ પોલીસે આરોપી દંપતીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે. બે દિવસ પહેલાં ભૂમિ દ્વારકા નજીક હાઈ-વે પર આવેલી હોટેલની બાજુમાં બાવળની ઝાડીઓમાંથી એક વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો. હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
પ્રાથમિક તપાસમાં વૃદ્ધ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના વીરા ગામના હોવાનું સામે આવ્યું હતું.. વૃદ્ધને માથાથી પગ સુધીના ભાગે બોથડ પદાર્થના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. એટલું જ નહીં પુરાવાનો નાશ કરવા હત્યા બાદ આરોપીઓએ મૃતદેહને સળગાવી દીધો હતો. કચ્છના 70 વર્ષીય મેમાભાઈ પાચાભાઈ ચાવડા નામના વૃદ્ધની હત્યા નિપજાવવામાં આવી હોવાની જાણ થતાં દ્વારકા પોલીસના પીએસઆઇ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. વૃદ્ધની હત્યા કયા કારણોસર? કોના દ્વારા ? અને કયા સંજોગોમાં ? કેવી રીતે થઈ? આ બાબતનો તાગ મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
