Team Chabuk-Gujarat Desk: ભાવનગરમાં બસ ડ્રાઈવરને ચાલુ બસમાં હાર્ટ એટેક આવતા મોટી દુર્ઘટના સર્જાઈ. બસના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસે ત્રણ વાહનોને કચડ્યા અને કારના શૉ રૂમમાં ઘૂસી ગઈ. દુર્ઘટનામાં બસ ડ્રાઈવરનું મોત થયું છે. જો કે, સદનસીબે વધુ જાનહાનિ ટળી હતી.
આજે સવારે મોટી દુર્ઘટના સર્જાતાં અટકી છે. સુરતથી મુસાફરો ભરી ભાવનગર આવેલી ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ-એટેક આવ્યો હતો, જેથી ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ ગણતરીની સેકન્ડોમાં જ ત્રણ વાહનને ટક્કર મારીને મારુતિના શોરૂમમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં ડ્રાઈવરનુ સ્થળ પર જ મોત થયું હતું. જોકે સદનસીબે બીજી કોઈ વધુ જાનહાનિ થઈ નથી.
ભાવનગરઃ બસ ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો, બસ કારના શો રૂમમાં ઘૂસી ગઈ, CCTV આવ્યા સામે#bus #bhavnagar #cctv pic.twitter.com/g965lTU3Xm
— thechabuk (@thechabuk) December 14, 2022
વહેલી સવારે બનેલી એકાએક ઘટનાને પગલે બસમાં સવાર પ્રવાસીઓ ભયભીત થયા હતા અને બસમાં દેકારો મચ્યો હતો. સવારે આ રોડ પર ટ્રાફિક નહિવત્ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ વાહનો તથા બસને ખાસ્સું નુકસાન થયું હતું. આ ઘટનામાં બસચાલકે ડ્રાઈવર સીટ પર જ દમ તોડ્યો હતો. ડ્રાઈવરના મૂર્તદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, આ ઘટના ઘટતાં રાહદારીઓ-વાહનચાલકોને તથા તત્કાળ મદદે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતાં ડી-ડિવિઝન પોલીસનો સ્ટાફ પણ સ્થળપર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
ભાવનગર શહેરમાં દરરોજ સવારે 4 કલાકથી સુરત તથા મુંબઈ જેવાં મહાનગરોમાથી સેંકડો ખાનગી ટ્રાવેલ્સની બસો શહેર તથા જિલ્લાના તાલુકાઓમાં પ્રવેશે છે, એ જ રીતે રોજિંદા ક્રમ મુજબ સુરતથી અવધૂત ટ્રાવેલ્સની બસ શહેરમાં આવી રહી હતી. એ દરમિયાન દેસાઈનગર પાસે આવેલા પેટ્રોલપંપ નજીક પહોંચતાં બસના ચાલકને ચાલુ બસે હાર્ટ-એટેક આવ્યો હતો. અને દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના સર્જાતા અફરા-તફરી મચી ગઈ હતી. તો શૉ રૂમમાં કારને પણ નુકસાન થયું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
