Homeગુર્જર નગરીરાજ્યમાં કોરોના વાયરસના કેસ ઘટ્યા પરંતુ મોતનું તાંડવ યથાવત, એક દિવસમાં કોરોનાએ...

રાજ્યમાં કોરોના વાયરસના કેસ ઘટ્યા પરંતુ મોતનું તાંડવ યથાવત, એક દિવસમાં કોરોનાએ વધુ 30નો લીધો જીવ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ધીમે-ધીમે ઘટી રહ્યા છે. જો કે, હજુ પણ મોતનું તાંડવ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 30 લોકોના મોત થયા છે.છેલ્લા 8 દિવસમાં 238 દર્દીના મોત થઈ ચૂક્યા છે. તો 24 કલાકમાં 9395 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ એક દિવસમાં 16 હજાર 66 દર્દી સાજા થયા છે જેને લઈને રાજ્યનો રિકવરી રેટ વધીને 91.18 ટકા થઈ ગયો છે.

હાલ રાજ્યમાં કુલ 91 હજાર 320 એક્ટીવ કેસ છે. જેમાંથી 278 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 91 હજાર 42 દર્દીની હાલત સ્થિર છે. હાલ સૌથી વધુ અમદાવાદમાં કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં એક દિવસમાં 3582 કેસ નોંધાયા છે અને 8 દર્દીએ જીવ ગુમાવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments