Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ક્રિકેટ રમતા રમતા વધુ એક યુવાને જીવ ગુમાવ્યો છે. મોરબીના હળવદના માંયાપુર ગામના અશોક કંઝારીયાનું ક્રિકેટ રમ્યા બાદ મૃત્યુ થયું છે. મોરબીના લજાઈ ગામ પાસે ગત રાત્રીના ક્રિકેટ રમવા આવ્યા હતા. ગુજરાત સરકારના પંચાયત ગૃહ ગામ નિર્માણ ગ્રામ વિકાસ દ્વારા આગામી 26 થી 31 માર્ચ દરમિયાન સ્વ.બળવંત રાય મહેતાના સ્મરણાર્થે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ રહી હતી. આ દરમિયાન પ્રેક્ટિસ મેચમાં અશોક કંઝારિયાનું મોત થયું છે. ક્રિકેટ રમતા રમતા યુવકના મોતથી હળવદ પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.
મહત્વનું છે કે, દર વર્ષે યોજાતી 31મી સ્વ.. બળવંત મહેતા ટોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આગામી 26મી માર્ચે રાજકોટ મુકામે કરવામાં આવ્યું હતુ. જે અનુસંધાને મોરબી જિલ્લા પંચાયતની ક્રિકેટ ટીમનો પ્રેક્ટિસ કેમ્પ મોરબી પાસે આવેલી લજાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યો હતો.
આ દરમિયાન હળવદ તાલુકાના યુવા ક્રિકેટર પ્રેક્ટિસ દરમિયાન અચાનક વોમિટ અને છાતીમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક બાજુની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, યુવકને બ્લડ પ્રેસરની તકલીફ હતી.
અશોકભાઈ.બી.કણઝરીયા હળવદ તાલુકાના માથક સેજામાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા હતા. તેમના મૃત્યુના સમાચાર મળતા તેમના પરિવાર અને હળવદ ક્રિકેટ પ્રેમીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મોરબીમા ક્રિકેટ રમતા યુવકનું મોત થતાં જ ક્રિકેટ રસિયાઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે, મૃતક હળવદનાં માંયાપુર ગામના અશોક કંઝારીયા નું ક્રિકેટ રમતાં જ મોત થયું હતું કે રોજિંદા ક્રિકેટ રમતા હતા અને એક સારા પ્લેયર પણ હતા.
આ દુર્ઘટના બાદ ગુજરાત સરકારના પંચાયત ગૃહગામ નિર્માણ ગ્રામ વિકાસ દ્વારા આગામી 26થી 31 માર્ચ દરમ્યાન યોજાનાર સ્વ.બળવંત રાય મહેતાનાં સ્મરણાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રદ કરીને 15 એપ્રિલનાં રોજ રખાઈ છે. આ સાથે જ મેડિકલ ટેસ્ટ કર્યા બાદ જ ક્રિકેટમાં ઉતારવા ખેલાડીઓને ઉતરવા જીલ્લા વિકાસ અધિકારીએ સૂચના આપી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત