Team Chabuk-Gujarat Desk: પોરબંદર રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં વાયરલેસ પીએસઆઈ જે.જે જોગદિયાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેમજ ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચી હતી. ગાંધીનગરથી પોરબંદર પરત આવતી વખતે પશુ રસ્તા પર આડે ઉતરતા અકસ્માત સર્જાયો હતો. પીએસઆઈ જે.જે જોગદિયાનું મોત થતા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
કુતિયાણા નજીક પશુને બચાવવા જતા પોલીસ બોલેરો પુલના ડિવાઈડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પોરબંદરના વાયરલેસ PSI જે.જે. જોગદિયાનું નિધન થયું છે. જ્યારે બોલેરો ચલાવી રહેલા કોન્સ્ટેબલ કિશનભાઈ મકવાણા ગંભીર રીતે ઘવાતા ICUમાં સારવાર હેઠળ છે.
મળેલી વિગત મુજબ પીએસઆઈ જેસીંગભાઈ જેઠાભાઈ જોગદિયા(ઉ.વ.34) અને કોન્સ્ટેબલ કિશનભાઈ મકવાણા પોલીસ ખાતાના સરકારી કામે ગાંધીનગરથી પોરબંદર પરત આવતા હતા. આજે વહેલી સવારે હાઇવે ઉપર કુતિયાણા નજીક કોઈ પશુને બચાવવા જતા બોલેરો ડિવાઈડર સાથે અથડાઈ ગયો હતો. જેમાં ઘવાયેલા PSI જોગદિયા પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા છે. અને કિશનભાઈની ICU માં સારવાર ચાલે છે.
પીએસઆઈ જેસીંગભાઈ જેઠાભાઈ જોગદિયાનો જન્મ 17/2/1988ના રોજ થયો હતો. તેઓ દલિત પરિવારમાંથી આવતા હતા. તેઓએ પોતાના વતનમાં રાજુલામાં દલિત વિદ્યાર્થીઓ માટે શિક્ષણને લઈ પ્રશંસાનીય કામગીરી કરી હતી. પોલીસ વિભાગમાં પણ કર્મનિષ્ઠ અધિકારીની છાપ ધરાવતા હતા. તેમના મૂળ વતન છેલણાં (અમરેલી) ખાતે અંતિમક્રિયા કરાશે. આ બનાવના પગલે પોલીસ બેડામાં શોક છવાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત