Homeગુર્જર નગરીસુરત: અરરર.. સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રખાયેલા મૃતદેહનો પગ ઉંદરોએ કોરી ખાધો

સુરત: અરરર.. સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રખાયેલા મૃતદેહનો પગ ઉંદરોએ કોરી ખાધો

Team Chabuk-Gujarat Desk: સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં જે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનું હતું તેના પગને ટબ્બા જેવડા ઉંદરોએ કોતરી ખાતા પરિવારજનો સહિત તબીબો અને પોસ્ટમોર્ટમ કરનારો સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો છે. આ મૃતદેહ એક 60 વર્ષીય મહિલાનો છે. લક્ષ્મીબહેન નામના આ મહિલા મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા. ઘરમાં તેઓ પડી ગયા હતા જે પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન લક્ષ્મીબહેનનું મંગળવારની રાત્રે નિધન થયું હતું. લક્ષ્મીબહેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે  સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં રાત્રિ દરમ્યાન ક્યાંકથી ઉંદરો આવી ચડ્યા હતા અને તેમનો પગ કોતરી નાખ્યો હતો.

જોકે આ અંગે પોસ્ટમોર્ટમ કરનારા કર્મચારીઓએ છુપાયેલી પોતાની સમસ્યા પણ સામે રાખી હતી. આ પોસ્ટમોર્ટમ રૂમમાં મહાકાય ઉંદરોનો ત્રાસ છે. સાથે સાથે માખીઓનો ત્રાસ પણ છે. આ બંનેના ત્રાસની વચ્ચે પીસાયને ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ કરવું પડે છે. ઉંદરની સમસ્યા છેલ્લા કેટલાય વખતથી હોય તેનો કોઈ કાળે નિકાલ નથી કરવામાં આવી રહ્યો. આ તમામ વાતો સ્ટાફ તરફથી સામે આવી હતી.

ઉંદરૉ દ્વારા મૃતદેહના કોઈ ભાગને કોરી ખાવાની ક્રિયા પર સિવિલનું ઉચ્ચ પ્રશાસન કહી રહ્યું છે કે, ધ્યાન પર આવ્યું છે, સમસ્યાનો ઉપાય શોધવામાં આવશે. સુરત સિવિલ હોસ્પિટલમાં આ પહેલી વખત નથી. અગાઉ પણ કેટલીય સમસ્યાઓ દરદીઓને ભોગવવી પડી છે. કોઈ વખત પોસ્ટમોર્ટમ રૂમમાં ઉંદર સહિત કૂતરા પણ ઘુસી ગયાના બનાવો બન્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments