Team Chabuk-Gujarat Desk: લીંબડી-બગોદરા હાઈવે પર ટ્રક ચાલકે 20 ઘેંટાઓને અડફેટે લેતા મોત થયા છે. જો કે, મોટાભાગના ઘેંટાઓ ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આ અકસ્માતને લઈ માલધારી સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લીંબડી-બગોદરા હાઇવે ઉપર એક ટ્રક ચાલકે 20 ઘેટાઓને મોત ઘાટ ઉતારી દેતા માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માલધારી અમદાવાદથી બગોદરા અને બગોદરાથી લીંબડી તરફ આવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની છે. આજે તો આ ટ્રકના ચાલકે 20 ઘેટાને કચડી નાખ્યા છે. પરંતુ જો માનવનો યાત્રાળુ સંઘ પસાર થતો હોત તો માનવની પણ આ દશા કરત તેઓ પણ પ્રશ્ન હાલમાં ચર્ચામાં છે.
આ ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં હાલ 15થી 20 ઘેટાને ગંભીર ઈજાઓ થતા તેની સારવાર કરવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?