Team Chabuk-Gujarat Desk: લીંબડી-બગોદરા હાઈવે પર ટ્રક ચાલકે 20 ઘેંટાઓને અડફેટે લેતા મોત થયા છે. જો કે, મોટાભાગના ઘેંટાઓ ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. આ અકસ્માતને લઈ માલધારી સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લીંબડી-બગોદરા હાઇવે ઉપર એક ટ્રક ચાલકે 20 ઘેટાઓને મોત ઘાટ ઉતારી દેતા માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ માલધારી અમદાવાદથી બગોદરા અને બગોદરાથી લીંબડી તરફ આવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની છે. આજે તો આ ટ્રકના ચાલકે 20 ઘેટાને કચડી નાખ્યા છે. પરંતુ જો માનવનો યાત્રાળુ સંઘ પસાર થતો હોત તો માનવની પણ આ દશા કરત તેઓ પણ પ્રશ્ન હાલમાં ચર્ચામાં છે.
આ ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં હાલ 15થી 20 ઘેટાને ગંભીર ઈજાઓ થતા તેની સારવાર કરવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત