Homeગુર્જર નગરીમહિલાને મરવા મજબૂર કરવાના આરોપમાં તેના પતિ અને સસરાની ધરપકડ, મહિલાએ ગળેફાંસો...

મહિલાને મરવા મજબૂર કરવાના આરોપમાં તેના પતિ અને સસરાની ધરપકડ, મહિલાએ ગળેફાંસો લગાવી ટૂંકાવ્યું હતુ જીવન

Team Chabuk-Gujarat Desk: મોરબીના હળવદમાં એક મહિલાએ સાસરિયાના ત્રાસથી જીવન ટૂંકાવી લીધું. આ અંગે મહિલાના પરિવારે સાસરિયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતક મહિલાના પિતાની  ફરિયાદના આધારે મૃતકના પતિ અને સસરાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે આરોપી સાસુને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગત 7 ફેબ્રુઆરીએ સરોજબેન નિકુલભાઇ નામની પરિણીતાએ પોતાના ઘરે પંખા સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધુ હતું.

મૃતક સરોજબેનના પિતાએ આરોપ લગાવ્યો છે કે, તેમના જમાઈ નિકુલ હીરજી, દીકરીના સાસુ વસંતા હીરજી અને સસરા હીરજી અમરશીએ તેમની દીકરીને મરવા મજબૂર કરી છે. આરોપ છે કે, સરોજબેન સાથે તેમનો પતિ અને સાસરિયા અવારનવાર ઝઘડા કરતાં હતા. ગાળો આપતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા.

એક તરફ મહિલાઓ દેશમાં વિવિધ ક્ષેત્રે સર્વોચ્ય સ્થાને પ્રગતિના શિખરો સર કરી રહી છે. ત્યારે બીજી તરફ આજે પણ દહેજ, પારિવારિક ત્રાસ કે વિવિધ કારણો સર ત્રસ્ત મહિલાઓને આપઘાત કરવા મજબૂર પડે તેવી સ્થિતિ હજુ પણ સર્જાઈ રહી છે. આ કિસ્સામાં મૃતકને બાળક પણ છે જેણે માતાની છત્રછાયા ગુમાવી છે. તો બીજી તરફ દીકરીના મૃત્યુથી પરિવાર પણ શોકમાં ગરકાવ છે. મૃતક મહિલાના પરિવારની માગણી છે કે, આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments