Team Chabuk-Gujarat Desk: સુરતનાં કામરેજનાં વેલેંજા ગામે રહેતી પરણીતાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. મૃતક પરણિતાને સંતાનમાં એક બાળક હોવાનું પણ સામે આવ્યું છે .આ બાબતે કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરત જીલ્લાનાં કામરેજનાં વેલેંજા ખાતે રહેતા અને હિરાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકની પત્નિએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું વ્યાપી ગયું હતું.
આપઘાત કરતા પહેલા મહિલા ક્રિષ્નાબેને તેમનાં પતિને ફોન કરીને કહ્યું હતું કે છેલ્લીવાર મળવું હોય તો આવ તેમ જણાવ્યું હતું. પત્નિનાં આવા શબ્દો સાંભળી પતિ તાત્કાલીક ઘરે પહોંચે તે પહેલા ક્રિષ્નાબેને અનાજમાં નાંખવાની દવા પી લીધી હતી. ત્યારે તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ક્રિષ્નાબેનનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
