Team Chabuk-Gujarat Desk: સુરતનાં કામરેજનાં વેલેંજા ગામે રહેતી પરણીતાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. મૃતક પરણિતાને સંતાનમાં એક બાળક હોવાનું પણ સામે આવ્યું છે .આ બાબતે કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરત જીલ્લાનાં કામરેજનાં વેલેંજા ખાતે રહેતા અને હિરાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકની પત્નિએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું વ્યાપી ગયું હતું.
આપઘાત કરતા પહેલા મહિલા ક્રિષ્નાબેને તેમનાં પતિને ફોન કરીને કહ્યું હતું કે છેલ્લીવાર મળવું હોય તો આવ તેમ જણાવ્યું હતું. પત્નિનાં આવા શબ્દો સાંભળી પતિ તાત્કાલીક ઘરે પહોંચે તે પહેલા ક્રિષ્નાબેને અનાજમાં નાંખવાની દવા પી લીધી હતી. ત્યારે તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ક્રિષ્નાબેનનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર