Homeગુર્જર નગરી‘જૂનાગઢમાં દિવાલનું ખોદકામ કર્યું તો આ સોનાની ચેઈન નીકળી છે...’ કહી જામનગરના...

‘જૂનાગઢમાં દિવાલનું ખોદકામ કર્યું તો આ સોનાની ચેઈન નીકળી છે…’ કહી જામનગરના વેપારીને ચાર લાખનો ધુંબો કચકચાવીને મારી દીધો

Team Chabuk-Gujarat Desk: સૌરાષ્ટ્રનાં પેરિસ કહેવાતા જામનગરમાં એક વિચિત્ર કિસ્સાએ આકાર લીધો છે. જામનગરમાં આવેલા અંબર સિનેમા રોડ પર નિયો સ્ક્વેર કોમ્પલેક્સમાં કાપડની દુકાન ચલાવતા એક વેપારીને કેટલાક લોકો ઠગી ગયા હતા. નકલી ચેઈન પકડાવી દઈ ચાર લાખનો ચૂનો ચોંપડી દીધો હતો. હાલ આ ઠગ ત્રિપુટીને શોધવા માટે જામનગર સી ડિવીઝનની પોલીસ આકાશ-પાતાળ એક કરી રહી છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ જામનગર શહેરના સ્ક્વેર કોમ્પેક્સમાં જોધપુર રજવાડું નામની દુકાન છે. આ દુકાન દેવસિંગભાઈ હેમતસિંગભાઈ ભાટી ચલાવે છે. ગઈકાલે તેમની દુકાન પર પંકજરામ મોટારામ, રમેશ મોટારામ તથા એક મહિલા દુકાને આવી હતી. એમણે વેપારીને કહ્યું હતું કે જૂનાગઢમાં મિસ્ત્રી કામ દરમિયાન દિવાલનું ખોદકામ કરતા સોનાની એક કિલોની ચેઈન નીકળી છે. બાદમાં આ ત્રિપુટીએ મંથર ગતિએ ચેઈન વેચવાની વાત કરી હતી અને વેપારીને વિશ્વાસના ઘૂંટડા પીવડાવી બાટલીમાં ઉતારી દીધો હતો. ચેઈન નકલી હતો પણ આ નકલી ચેઈનના આરોપીઓ ચાર લાખ લઈ ગયા હતા.

વેપારી સોનાની ચેઈનની ખરાઈ કરવા માટે ચાંદી બજારમાં ગયા તો ત્યાં તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. તેમને માલુમ પડ્યું હતું કે ચેઈન નકલી છે. તેઓ ફટાફટ દુકાને પહોંચ્યા હતા પણ ગુનો આચરનાર પછી ઊભા થોડા રહે. વેપારીને બાટલીમાં ઉતારી જનારી ત્રિપુટી ત્યાંથી એક બે અને ત્રણ થઈ ગઈ હતી. વેપારીએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ આ ઘટનાનાં મુખ્ય આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments